બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / શહેરની સુરક્ષા હવે 'AI નજર' હેઠળ, AMTS બસો પર લાગશે સ્માર્ટ ડેશકેમ
Last Updated: 04:45 PM, 6 May 2026
શહેરમાં હવે બસો માત્ર મુસાફરી માટે નહીં પણ 'ચાલતા સીસીટીવી કેમેરા' તરીકે કામ કરશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ટેક્નોલોજી આપોઆપ સમસ્યાઓ ઓળખશે તેમજ ગંદકી, ખાડા કે ટ્રાફિક ઉલ્લંધન માટે હવે ફરિયાદ કરવાની જરૂર નહીં પડે સિસ્ટમ પોતે જ નોંધશે. સ્માર્ટ સિટી મિશન અંતર્ગત અમદાવાદ હવે ટેક્નોલોજીના ઉપયોગમાં એક નવું ડગલું માંડવા જઈ રહ્યું છે. શહેરના મ્યુનિસિપલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી અને સુરક્ષા માટે સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લિમિટેડ (SCADL) દ્વારા ૧,૦૦૦ એએમટીએસ અને અન્ય સરકારી વાહનો પર આધુનિક ‘એઆઈ આધારિત ડેશકેમ' લગાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે.
ADVERTISEMENT
કેવી રીતે કામ કરશે આ 'સ્માર્ટ ડેશકેમ'?
આ ડેશકેમ માત્ર સામાન્ય વિવિધ રૂટ પર ફરશે ત્યારે કેમેરા રસ્તા પરની ખામીઓ અને ટ્રાફિક નિયમોના ભંગને આપમેળે શોધી : કેમેરા નથી, પરંતુ તે આર્ટિફિશિયલ : ઈન્ટેલિજન્સ (એઆઈ)થી સજ્જ હશે. આ સિસ્ટમ દ્વારા દરરોજ શહેરના અંદાજે ૫,૦૦૦ કિમીથી વધુના માર્ગોનું રિયલ ટાઈમ મોનિટરિંગ થશે.
ADVERTISEMENT

કઈ કઈ સમસ્યાઓ પર રહેશે નજર?
ADVERTISEMENT
આ પ્રોજેક્ટ હેઠળ એઆઈ ટેક્નોલોજી દ્વારા કુલ ૨૦ જેટલા 'યુઝ કેસીસ' નક્કી કરવામાં આવ્યા છે, જેમાંથી મુખ્ય બાબતો નીચે મુજબ છે:
રસ્તાની સુરક્ષા: ખાડાઓ, ગટરનાં તૂટેલાં ઢાંકણા અને રોડ માર્કિંગની ખામી શોધવી.
ADVERTISEMENT
એઆઈ કરશે ૨૦ પ્રકારની સમસ્યાઓની ઓળખ
ડેશકેમમાં લાગેલી એઆઈ ટેક્નોલોજી ૨૦ પ્રકારના 'યુઝ કેસ' ઓળખી શકશે, જેમાં મુખ્યત્વે
ADVERTISEMENT
પ્રાથમિક (Priority-1) કેસ:
ADVERTISEMENT
બીજા તબક્કાના કેસઃ
ટ્રાફિક નિયમો: હેલ્મેટ વગર ડ્રાઇવિંગ અને રોગ સાઈડમાં વાહન ચલાવનારાઓની આપમેળે ઓળખ.
સફાઈ અને નાગરિક સુવિધા: રસ્તા પરનો કચરો, પાણી ભરાવાની સમસ્યા અને રખડતાં ઢોરની હાજરી,
ઈન્ફાસ્ટ્રક્ચર: તૂટેલી સ્ટ્રીટ લાઈટ અને ટ્રાફિક સિગ્નલની ઓળખ.
ફરિયાદ નોંધવાની પ્રક્રિયા થશે ઝડપી
આ સિસ્ટમની ખાસિયત એ છે કે જેવી કોઈ સમસ્યા શોધાશે કે તરત જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની CCRS (Citizen Complaint Redressal System)માં ઓટોમેટિક ટિકિટ-જનરેટ કરશે. આ ઉપરાંત ટ્રાફિકના નિયમો તોડનારાઓ માટે ઓટોમેટિક 'ઈ-ચલણ' પણ ફાટી શકશે. આ માટે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC)માંથી પણ સીધું નિરીક્ષણ કરી શકાશે.
આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદેશ મેન્યુઅલ ઇન્સ્પેક્શનના બદલે ટેક્નોલોજી દ્વારા શહેરની સમસ્યાઓ શોધીને તેનો ઝડપથી નિકાલ લાવવાનો છે. આ પ્રોજેક્ટ છ મહિનામાં અમલી બનશે અને આગામી ત્રણ વર્ષ સુધી તેનું સંચાલન કરવામાં આવશે. એઆઈ મોડલ્સને અમદાવાદની સ્થિતિ મુજબ તાલીમ આપવામાં આવશે, જેથી તે ૮૦ ટકાથી વધુ સચોટ પરિણામ આપી શકે.
આ પણ વાંચોઃ સુરત બેંક લૂંટમાં વધુ 2 આરોપીઓ પકડાયા, 2 મહિનાથી રેકી કરતા હતા, ભાડાના મકાનમાં રહેતા હતા
આ આધુનિક ટેક્નોલોજીથી અમદાવાદ શહેર વધુ સુરક્ષિત, સ્વચ્છ અને સ્માર્ટ બનશે તેવી આશા રાખવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.