આજે ગુજરાતી સીનેમાંમાં એક યુગનો અંત થયો છે. જેમણે મન્નાડેને સંગીતમાં હરાવ્યા હતા તેવા મહેશ કનોડિયાએ અનંતની વાટ પકડી ચીરનીદ્રાએ પોઢી ગયા છે ત્યારે હીતુ કનોડિયા આ અંગે વાત કરતા કરતા રડી પડ્યા હતા. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન કરીને આ અંગે દુખ વ્યક્ત કર્યુ હતુ.
સંગીતકાર-ગાયક મહેશ કનોડિયાનું નિધન
હિતુ કનોડિયા રડી પડ્યા
''કનોડિયા પરિવારને મોટી ખોટ પડી છે''
જાણીતા સંગીતકાર-ગાયક મહેશ કનોડિયાનું નિધન થયુ છે. 83 વર્ષની વયે લાંબી બિમારી બાદ મહેશ કનોડિયાનું નિધન થયું છે. મીડિયા સાથે વાત કરતા કરતા હિતુ કનોડિયા રડી પડ્યા હતા. 6 વર્ષથી પેરાલિસિસ પર હતા
કનોડિયા પરિવારને મોટી ખોટ પડી છે એટલું કહેતા ઓન કેમેરા હિતુ કનોડિયા રડી પડ્યા હતા તેમણે વધુમાં કહ્યું હતુ કે, મારા પિતા નરેશ કનોડિયા વેન્ટિલેટર પર છે. અને હવે આ ઘા કેમ સહન થશે. મહેશ-નરેશની બેલડી છે. ભગવાને અંખડ બેલડી તોડી છે.
આજે સાંજે સેક્ટર 30 માં એમનો અંતિમ સંસ્કાર કરાશે. નરેશ કનોડિયાની તબિયતનો એમને આઘાત લાગ્યો હોવાનું કહેવાઈ રહ્યુ છે. PM મોદીએ ફોન કરીને પરિવારજનો સાથે વાત કરી હતી અને CM રૂપાણીએ ફોન કરી દુઃખ વ્યક્ત કર્યું હતુ.
ગુજરાતના મશહૂર સંગીતકાર-ગાયક અને પુર્વ સાંસદ શ્રી મહેશ કનોડિયાના દુઃખદ અવસાનથી શોકમગ્ન છું.
ગુજરાતી લોકસંગીતને લોકપ્રિય બનાવનારની ખોટ સંગીત જગતને હંમેશા રહેશે. સાંસદ તરીકે તેમની કામગીરી સરાહનીય હતી.
પ્રભુ એમના દિવ્ય આત્માને ચિર શાંતિ અને સ્નેહીજનોને દુઃખ સહન કરવાની શક્તિ બક્ષે.