બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / Singer Devraj Gadhvi's Statement on Controversial Comment on Charan Samaj

નિવેદન / ચારણ સમાજ પર ટિપ્પણી: દેવરાજ ગઢવીએ કહ્યું- એક માણસની ભૂલના કારણે બે સમાજ વચ્ચે ખટરાગ ન થવો જોઈએ

Vishal Khamar

Last Updated: 01:32 PM, 17 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તળાજાના આહીર સમાજના આગેવાન દ્વારા ચારણ-ગઢવી સમાજ પર કરેલ ટિપ્પણીને લઈ વિવાદ શરૂ થયો છે. ચારણ સમાજના માતાજી વિશે ટિપ્પણીને લઈ ગઢવી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈ સમાજના આગેવાનો દ્વારા આ બાબતે પ્રતિક્રિયા આપી છે.

  • ચારણ સમાજ પર વિવાદિત ટિપ્પણી અંગે ગાયક દેવરાજ ગઢવીનું નિવેદન 
  • સોશિયલ મીડિયામાં વીડિયો ચાલે છે તે જોઇને દુ:ખ થયું: દેવરાજ ગઢવી 
  • 60 વર્ષની ઉંમરે આ વ્યક્તિની બુધ્ધિ ભ્રષ્ટ થઇ છે: દેવરાજ ગઢવી

ચારણ સમાજ પર વિવાદિત ટિપ્પણી બાદ સમાજના આગેવાનોનાં નિવેદન સામે આવી રહ્યા છે. ગાયક દેવરાજ ગઢવીએ નિવેદન આપ્યું હતું કે સોશિયલ મીડિયામાં વીડિયો ચાલે છે. તે જોઈને દુઃખ થયું. આપણી જગદંબાઓ ક્યાંકને ક્યાંક કુળદેવી તરીકે પૂજાય છે. આવા કૃત્યોને કોઈ દિવસ સહન ન કરી શકાય. 

60 વર્ષની ઉંમરે આ વ્યક્તિની બુધ્ધિ ભ્રષ્ટ થઇ છે: દેવરાજ ગઢવી
આ બાબતે ગાયક કલાકાર દેવરાજ ગઢવીએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં એક વિવાદિત વિડીયો ચાલે છે. તે જોયો છે. ખૂબ દુઃખ થયું છે. 60 વર્ષેની ઉંમરે આ માણસની બુદ્ધિ ભ્રષ્ટ થઈ હોય તેવું લાગે છે. નહી તો આવી ભૂલ ન કરે. આપણે બધા એક ઉજળી પરંપરામાંથી આવીએ છીએ. ઉજળી પરંપરા આપણી રહેલી છે. ચારણોનાં ઈતિહાસ હલ્દીઘાટીથી ભુચરમોરી સુધીનો છે. આપણી દરેક જગદંબાઓ ક્યાંકને ક્યાંક કુળદેવી તરીકે પૂજાય છે. આ બફાટ જે કરે છે.  એની કુળદેવી પણ કોઈ ચારણ જગદંબા હશે. એટલે આવા કૃત્યોને કોઈ દિવસ સહન ન કરી શકીએ. ગીરીશ આપાનો વીડિયો મે જોયો એમનો હુકમ માનવો. એક માણસે ભૂલ કરી છે. તેની સામે કાયદામાં જે રીતે જોગવાઈ છે. તે રીતે તેની સામે પગલા લેવા જોઈએ. એક માણસે ભૂલ કરી છે. તેમજ સમાજમાં વૈમનસ્ય ઉભું ન થાય તેનુ ધ્યાન રાખવું. 

વધુ વાંચોઃ આધુનિક મશીનરી, 250 IPD બેડ... અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ રાજકોટ AIIMSનું 25મીએ PM મોદીના હસ્તે લોકાર્પણ

હકાભા ગઢવીએ શું કહ્યું ?
ગીગા ભમ્મરના નિવેદન પર હકાભા ગઢવીએ જણાવ્યું કે, હું સમગ્ર સમાજને દોશ ન આપી શકે પરંતુ તે કાર્યક્રમમાં સમાજના અનેક આગેવાનો હતા. તેમાંથી એક પણ આગેવાન સમજૂ ન હતો કે, તે વ્યક્તિને આવો બોલતું રોકી ન શકે. તેમણે કહ્યું કે, હું ગઢવી સમાજના કલાકારોને કહેવા માંગું છું કે, જે સમાજના વખાણ કરાય તેના કરાય બીજાના ન કરાય. કેમ જે ઈજ્જત કરતા હોય તે જ ઈજ્જત કરી શકે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી તળાજાનો પાણીનો નહી પવું તેમજ તળાજાનો એકપણ પ્રોગ્રામ નહી કરૂ. સમાજ શું નિર્ણય એ મને ખબર નથી. પરંતુ સજા તમને મારી માં આપશે. તેમણે વધુમાં કહ્યું કે, આહીર સમાજમાં આટલો મોટો બુદ્ધિહિન માણસ છે એવો મને આજે ખબર પડી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ