ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / Inauguration of Rajkot AIIMS equipped with state-of-the-art facilities by PM Modi on 25th

ડ્રીમ પ્રોજેક્ટ / આધુનિક મશીનરી, 250 IPD બેડ... અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ રાજકોટ AIIMSનું 25મીએ PM મોદીના હસ્તે લોકાર્પણ

Published By: Vishal Khamar

Last Updated: 04:04 PM, 17 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતની પ્રથમ એઈમ્સનું આગામી ટૂંક સમયમાં વડાપ્રધાનનાં હસ્તે લોકાર્પણ થનાર છે. જેની તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. સૌરાષ્ટ્રવાસીઓને હવે તેઓનાં દર્દના નિરાકરણ માટે દૂર જવાનો વારો નહી આવે.

ADVERTISEMENT

  • તા. 25 નાં રોજ ગુજરાતની પ્રથમ એઈમ્સ હોસ્પિટલનું લોકાર્પણ
  • સૌરાષ્ટ્ર અને ગુજરાતના દર્દીઓને આધુનિક સારવાર પણ મળી રહેશે
  • મોબાઈલ એપ્લીકેશન મારફતે દર્દીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી સમય મેળવી શકશે

 રાજકોટ ખાતે તા. 25 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ ગુજરાતની પ્રથમ એઈમ્સનું લોકાર્પણ   થવાનું છે. એઈમ્સ ખાતે હાલ છેલ્લા બે વર્ષથી ઓપીડી સેવા કાર્યરત છે. જ્યારે આઈપીડી સેવા  પણ આગામી તા. 26 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે.  તા. 25 ફેબ્રુઆરીનાં રોજ વડાપ્રદાન નરેન્દ્ર મોદી રાજકોટ એઈમ્સનું લોકાર્પણ કરવાના છે. ત્યારે એઈમ્સમાં દર્દીઓને સારી સારવાર મળી રહે તે માટે અત્યાધુનિક મશીનરીનો ઉપયોગ કરવામાં આવશે. 

લોકાર્પણની તડામાર તૈયારીઓ શરૂ
તા. 25 ફેબ્રુઆરીનાં રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટ એઈમ્સનું લોકાર્પણ કરવાની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. એઈમ્સ શરૂ થતા સૌરાષ્ટ્ર અને ગુજરાતના દર્દીઓને આઈપીડી સારવાર પણ મળી રહેશે.  રાજકોટ એઈમ્સમાં હાલ 190 ર્ડાક્ટર્સ 318 નર્સિંગ સ્ટાફ દર્દીઓની સેવામાં હાજર રહેશે. 250 આઈપીડી બેડનું લોકાર્પણ તેમજ 25 બેડ આઈસીયું વાળા રાખવામાં આવશે. એઈમ્સમાં ઓપરેશન થિયેટર, સીટી સ્ક્રેન, એક્સરે, એમઆરઆઈ જેવી મશીનરી પણ ઉપલબ્ધ થઈ જતા તેનું પણ ટેકનિકલ ચેકીંગ કરી લાઈસન્સ મેળવવાની પ્રક્રિયા પણ પૂર્ણ થવાની શક્યતાઓ છે. 

ઓપીડી વિભાગ પણ કાર્યરત કરવામાં આવશે
રાજકોટ એઈમ્સમાં  સોમવારથી શનિવારનાં સવારે 11 થી 1 વાગ્યા સુધી ઈ-સંજીવની ઓપીડી વિભાગ પણ કાર્યરત કરવામાં આવશે. તેમજ ટીબી, શ્વાસના રોગ, છાતીના રોગ, સ્ત્રી રોગ, પ્રસૃતિ વિભાગ અને એક્સ-રે વિભાગની સેવાઓ કાર્યરત છે. સોમવારથી શનિવાર સુધી સાંજના 9 થી 5 વાગ્યા સુધી અને શનિવારે સવારે 9 થી બપોરના 2 વાગ્યા સુધી ઓપીડી ઓપીડી કાર્યરત રહેશે. 

વધુ વાંચોઃ રોજનું 100 કિમી સાયકલિંગ... છતાંય હાર્ટ એટેકે ફિટનેસ આઇકોનનો ભોગ લીધો, નિષ્ણાંતોએ કહ્યું 'વ્યાયામ સાથે આરામ જરૂરી'
 

એઈમ્સની એપ્લીકેશન મારફતે રજીસ્ટ્રેશન કરાવી શકશે
રાજકોટ એઈમ્સ દ્વારા મોબાઈલ એપ્લીકેશન પણ લોન્ચ કરવામા આવી છે. આ મોબાઈલ એપ્લીકેશન મારફતે દર્દી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ઓનલાઈન સમય મેળવી સારવાર કરાવવાની રહેશે.  તેમજ આ એપ્લીકેશનના માધ્યમથી એઈમ્સ રાજકોટની સુવિધા તેમજ ર્ડાક્ટર તેમજ મેનેજમેન્ટ વિશે માહિતી મેળવી શકશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

AIIMS Prime Minister Modi Saurashtra residents gujarat mobile application એઈમ્સ ગુજરાત મોબાઈલ એપ્લીકેશન સૌરાષ્ટ્રવાસીઓ rajkot

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ