બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ગુજરાત / રાજકોટ / Inauguration of Rajkot AIIMS equipped with state-of-the-art facilities by PM Modi on 25th
Vishal Khamar
Last Updated: 04:04 PM, 17 February 2024
રાજકોટ ખાતે તા. 25 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ ગુજરાતની પ્રથમ એઈમ્સનું લોકાર્પણ થવાનું છે. એઈમ્સ ખાતે હાલ છેલ્લા બે વર્ષથી ઓપીડી સેવા કાર્યરત છે. જ્યારે આઈપીડી સેવા પણ આગામી તા. 26 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. તા. 25 ફેબ્રુઆરીનાં રોજ વડાપ્રદાન નરેન્દ્ર મોદી રાજકોટ એઈમ્સનું લોકાર્પણ કરવાના છે. ત્યારે એઈમ્સમાં દર્દીઓને સારી સારવાર મળી રહે તે માટે અત્યાધુનિક મશીનરીનો ઉપયોગ કરવામાં આવશે.
લોકાર્પણની તડામાર તૈયારીઓ શરૂ
તા. 25 ફેબ્રુઆરીનાં રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટ એઈમ્સનું લોકાર્પણ કરવાની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. એઈમ્સ શરૂ થતા સૌરાષ્ટ્ર અને ગુજરાતના દર્દીઓને આઈપીડી સારવાર પણ મળી રહેશે. રાજકોટ એઈમ્સમાં હાલ 190 ર્ડાક્ટર્સ 318 નર્સિંગ સ્ટાફ દર્દીઓની સેવામાં હાજર રહેશે. 250 આઈપીડી બેડનું લોકાર્પણ તેમજ 25 બેડ આઈસીયું વાળા રાખવામાં આવશે. એઈમ્સમાં ઓપરેશન થિયેટર, સીટી સ્ક્રેન, એક્સરે, એમઆરઆઈ જેવી મશીનરી પણ ઉપલબ્ધ થઈ જતા તેનું પણ ટેકનિકલ ચેકીંગ કરી લાઈસન્સ મેળવવાની પ્રક્રિયા પણ પૂર્ણ થવાની શક્યતાઓ છે.
ઓપીડી વિભાગ પણ કાર્યરત કરવામાં આવશે
રાજકોટ એઈમ્સમાં સોમવારથી શનિવારનાં સવારે 11 થી 1 વાગ્યા સુધી ઈ-સંજીવની ઓપીડી વિભાગ પણ કાર્યરત કરવામાં આવશે. તેમજ ટીબી, શ્વાસના રોગ, છાતીના રોગ, સ્ત્રી રોગ, પ્રસૃતિ વિભાગ અને એક્સ-રે વિભાગની સેવાઓ કાર્યરત છે. સોમવારથી શનિવાર સુધી સાંજના 9 થી 5 વાગ્યા સુધી અને શનિવારે સવારે 9 થી બપોરના 2 વાગ્યા સુધી ઓપીડી ઓપીડી કાર્યરત રહેશે.
એઈમ્સની એપ્લીકેશન મારફતે રજીસ્ટ્રેશન કરાવી શકશે
રાજકોટ એઈમ્સ દ્વારા મોબાઈલ એપ્લીકેશન પણ લોન્ચ કરવામા આવી છે. આ મોબાઈલ એપ્લીકેશન મારફતે દર્દી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ઓનલાઈન સમય મેળવી સારવાર કરાવવાની રહેશે. તેમજ આ એપ્લીકેશનના માધ્યમથી એઈમ્સ રાજકોટની સુવિધા તેમજ ર્ડાક્ટર તેમજ મેનેજમેન્ટ વિશે માહિતી મેળવી શકશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir