બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Fitness icon Anil Kadasur dies of heart attack worries people

સાવચેતી / રોજનું 100 કિમી સાયકલિંગ... છતાંય હાર્ટ એટેકે ફિટનેસ આઇકોનનો ભોગ લીધો, નિષ્ણાંતોએ કહ્યું 'વ્યાયામ સાથે આરામ જરૂરી'

Vishal Khamar

Last Updated: 01:20 PM, 17 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિટનેસ આઈકોનનું હાર્ટ એટેકથી મોત થવા પામ્યું છે. રોજ 100 કિલોમીટર સાયકલ ચલાવતા વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થતા સૌ કોઈ ચિંતીત થઈ ગયા હતા. અનિલ કદસૂરના મોત પર નિષ્ણાંતોનો મતે વધુ પડતો વ્યાયામ જીવલેણ બની શકે છે.

  • ફિટનેસ આઇકોનનું હાર્ટ એટેકથી મોત 
  • રોજ ચલાવતા 100 કિલોમીટર સાયકલ
  • અનિલ કદસૂરના મોત પર નિષ્ણાતોનો મત 

 કોરોના પછી દેશ અને દુનિયામાં હાર્ટએટેકના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે..જેને લઈને લોકો રોજ અવનવા તારણો આપે છે.. પરંતુ તાજેતરમાં જ જાણીતા ફિટનેસ આઇકોન અને બેંગલુરુના પ્રખ્યાત સાઇકલિસ્ટ અનિલ કદસૂરનું હાર્ટ એટેકના કારણે મોત થયું.. જે વ્યક્તિ રોજ 100 કિલોમીટર સાયકલ ચલાવતા હતા.. ફિટનેશને લઈને દુનિયામાં ચર્ચામાં રહેતા.. તેવામાં ફિટનેસ આઈકોનને હાર્ટ એટેક આવ્યાની વાત પર લોકોને વિશ્વા હજૂ સુધી નથી આવતો.. ત્યારે આજે અનિલ કદસૂરને હાર્ટ એટેક આવવા પાછળના કારણો જાણવાનો અમે પ્રયાસ કર્યો.. 

ફિટનેસ આઈકન અને પ્રખ્યાત સાઈકલિસ્ટ અનિલ કદસૂરનું 45 વર્ષની વયે હાર્ટ એટેકથી મોત થયું છે. આ સમાચાર સાંભળીને દરેકને આશ્ચર્ય થયું હતું. કારણ  કે, અનિલ કદસૂર રોજ 100 કિલો મીટર સાયકલ ચલાવતા હતા. તેવામાં ફિટનેસ માટે જાગૃત લોકો માટે તેમનું મોત એક મોટો ઝટકો છે. જો કે હાર્ટ એટેક આવવાના કારણ તો અનેક હોય છે. પરંતું ફિટનેસ આઈકોનને હાર્ટ એટેક કેમ આવ્યો. 

અનિલ કદસૂરને હાર્ટ એટેક આવવાનું એક કારણ
વધુ પડતો વ્યાયામ અને શરીરને પુરતો આરામ  ન મળવો છે. નિષ્ણાંત ર્ડાક્ટરોના મતે વ્યાપા કરવાતી હાર્ટ એટેકની શક્યતાઓ ઘટી જાય છે. પરંતુ વધુ પડતો વ્યાયામ તમારા સ્વાસ્થ્યને હાની પણ પહોંચાડી શકે છે. 

અનિલ કદસૂરના મૃત્યું પછી દરેક લોકોએ કેટલીક મહત્વપૂર્ણ કાળજીઓ  રાખવી જોઈએ. નિષ્ણાંતોના મતે,  લોકોએ શું કાળજી રાખવી જોઈએ?

  • તંદુરસ્તી મહત્વપૂર્ણ છે. પરંતું તે શરીર માટે પૂરતું નથી. આપણે નિયમિત સ્વાસ્થ્યની તપાસ કરાવવી જોઈએ. 
  • તણાવ ઓછો કરવો મહત્વપૂર્ણ છે. આ માટે યોગ, ધ્યાન અને અન્ય પ્રવૃતિઓનો અભ્યાસ કરવો જોઈએ
  • પુરતી ઊંઘ લેવી, કારણ કે, ઊંઘનો અભાવ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. 
  • વધુ પડતી કસરત ટાળવી, તમારી ક્ષમતા મુજબ વ્યાપામ કરો અને તમારા શરીરને સંભાળો
  • સ્વસ્થ ખોરાક લો, ફળો, શાકભાજી અને આખા અનાજ જેવી તંદુરસ્ત વસ્તુઓ ખાઓ....

વ્યાયામની સાથે શરીર માટે આરામ પણ જરૂરી 
આટલી બાબતોનું ધ્યાન દરેક વ્યક્તિએ રાખવુ જોઈએ. કારણ કે, હાલ હાર્ટ એટેકનું પ્રમાણ વધુ પડતું યુવાનોમાં વધી રહ્યું છે. ફિટનેસને લઈ જીમ ટ્રેનર હંમેશા એક્ટિવ રહેતા હોય છે.

વધુ વાંચોઃ બિસ્માર ઓરડા, તૂટેલા પોપડા..., આ છે પેટલાદના આશી ગામનું બીમાર આરોગ્ય કેન્દ્ર, જુઓ દયનીય હાલત

વ્યાયામ કરો, પરંતુ વધુ પડતો નહીં
દરેક વ્યક્તિએ ફીટ રહેવું જોઈએ. પરંતું ફીટ રહેવા માટે એટલી હદ સુધી પણ વ્યાયામ ન કરવો જોઈએ કે, તમારા જીવ પર આવી બને. કદાચ અનિલ કદસૂરના કિસ્સામાં પણ આજ વસ્તુ તેમના મોતનું કારણ બની છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Death Heart attack ahmedabad fitness icon અનિલ કદસૂર અમદાવાદ ફિટનેસ આઈકોન મોત સાઈકલિસ્ટ હાર્ટ એટેક ahmedabad
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ