બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / ICUમાં દાખલ શ્રેયસ ઐયર સાથે શું બન્યું? પરિવારના સભ્યો મુંબઈથી સિડની દોડ્યાં, BCCIનું મોટું અપડેટ
Last Updated: 08:12 AM, 28 October 2025
ભારતના વનડેના વાઈસ કેપ્ટન શ્રેયસ ઐયરની હાલત ગંભીર પરંતુ સ્થિર છે. સદનસીબે, ઐયરને હવે ICU માંથી બહાર ખસેડવામાં આવ્યો છે. જોકે, એક સમય એવો હતો જ્યારે ઐયરનો જીવ જોખમમાં હતો, કારણ કે તેની ઈજા ગંભીર હતી અને આંતરિક રક્તસ્રાવથી સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. BCCI એ તેમની નજીકથી દેખરેખ રાખવા માટે એક ટીમ ડૉક્ટરની નિમણૂક કરી છે, અને 30 વર્ષીય ઐયરની હાલતમાં સુધારો થઈ રહ્યો છે.
ADVERTISEMENT
🚨🔴 Shreyas Iyer is safe.
— Selfless⁴⁵ (@SelflessCricket) October 27, 2025
He is out of the ICU after a spleen injury and is in stable condition now. | Reported by Cricbuzz. pic.twitter.com/ELGefIdB9O
શ્રેયસ હવે ICU માંથી બહાર, તબિયતમાં સુધારો
ADVERTISEMENT
શ્રેયસ હવે ICU માંથી બહાર છે અને તેની હાલતમાં સુધારો થઈ રહ્યો છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી અને અંતિમ વનડેમાં કેચ લેવા માટે પાછળની તરફ ડાઇવ કરતી વખતે તેને પાંસળીમાં ઇજા થઈ હતી, ત્યારબાદ તે મેદાન છોડીને ચાલ્યો ગયો હતો. ડ્રેસિંગ રૂમમાં પાછા ફર્યા પછી તેની તબિયત સારી ન હોવાથી તેને થોડીવાર પછી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
પરિવારના સભ્યો સિડની જશે
શ્રેયસ ઐયર સાથે કેટલાક સ્થાનિક મિત્રો પણ છે, અને વિઝા મળી ગયા બાદ પરિવારના સભ્યો મુંબઈથી સિડની જઈ શકે છે. ઐયરના માતાપિતાએ ઓસ્ટ્રેલિયાના અરજન્ટ વિઝાની પણ અરજી કરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.