બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
દેશની સૌથી મોટી સાર્વજનિક ક્ષેત્રની બેન્ક ભારતીય સ્ટેટ બેન્કે ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. SBIએ વ્યાજદર વધારવાની જાહેરાત કરી છે. બુધવારે એટલે કે આજે નવા વ્યાજદર લાગુ થઈ ગયા છે. હવે ગ્રાહકોને નવા વ્યાજદરો 0.10 ટકાના હિસાબથી આપવાના રહેશે.
તેની સાથે બેન્કે પ્રાઈલ લેન્ડિંગ રેટને પણ વધારવાનો નિર્ણય કર્યો છે અને આ 10 ટકાથી 12.30 ટકા કરી દેવામાં આવ્યું છે. ત્યાં જ બેસ રેટમાં 10 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે નવા દર 7.55 ટકા હશે.
ADVERTISEMENT

ગ્રાહકોને મોટો ઝટકો
બેસ રેટ વધવાની અસર વ્યાજદરો પર પડશે. બેસ રેટમાં વધારો થવાથી વ્યાજદર પહેલાથી મોંઘુ થઈ જશે જેનાથી લોન લેનાર ગ્રાહકોને વધુ વ્યાજ આપવાનું રહેશે. તમને જણાવી દઈએ કે બેસ રેટ નક્કી કરવાનો અધિકાર બેન્કોના હાથમાં હોય છે. કોઈ પણ પ્રાઈવેટ અથવા સરકારી બેન્ક બેસ રેટના નીચે લોન ઓફર નથી કરી શકતી. પ્રાઈવેટ અને સરકારી બેન્ક બેસ રેટને સ્ટાન્ડર્ડ માને છે. તેના આધાર પર લોવ પર વ્યાજ વગેરે નક્કી કરવામાં આવે છે.
ADVERTISEMENT

માર્જિનલ કોસ્ટમાં નથી થયો કોઈ ફેરફાર
એસબીઆઈએ જણાવ્યું કે તે દરેક સમયગાળાના લેડિંગ રેટને માર્જિનલ કોસ્ટમાં કોઈ ફેરફાર નથી કર્યા. આ રેટ પોતાની પહેલની જેમ બની રહેશે. તમને જણાવી દઈએ કે એસબીઆઈની હોમ લોન સેક્ટરમાં મોટો ભાગ છે. એસબીઆઈના માર્કેટમાં કુલ 34 ટકા પર કબ્જો છે.
ADVERTISEMENT
મહત્વનું છે કે SBI લગભગ 5 લાખ કરોડ સુધીની લોન આપી ચુકી છે. ત્યાં જ SBI 2024 સુધી આ આંકડાને 7 લાખ કરોડ સુધી પહોંચાડવાનો ટાર્ગેટ લઈને ચાલી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.