બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / sawan 2023 upay shiv puran remedies for money and prosperity

હર હર મહાદેવ / શિવપુરાણમાં આપવામાં આવ્યા છે ગરીબી દૂર કરવાના ઉપાયો, તમે પણ અજમાવી જુઓ

Manisha Jogi

Last Updated: 12:19 PM, 19 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિવ પૂજા કરવાથી તમામ સંકટ દૂર થાય છે. આર્થિક સમસ્યાખી પરેશાની હોય તો શ્રાવણ મહિનામાં કેટલાક ખાસ ઉપાય કરવાથી મુક્તિ મળી શકે છે.

  • શ્રાવણ મહિનામાં શિવની પૂજા કરવી ઉત્તમ માનવામાં આવે છે
  • શિવપુરાણમાં જણાવેલ ઉપાય અપનાવો
  • ગરીબી અને સમસ્યાથી મળશે મુક્તિ

ભગવાન શિવ સાથે જોડાયેલ અનેક રહસ્ય શિવપુરાણમાં જણાવવામાં આવ્યા છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવી ઉત્તમ માનવામાં આવે છે. શિવ પૂજા કરવાથી તમામ સંકટ દૂર થાય છે. આર્થિક સમસ્યાખી પરેશાની હોય તો શ્રાવણ મહિનામાં કેટલાક ખાસ ઉપાય કરવાથી મુક્તિ મળી શકે છે. 

ધન પ્રાપ્તિ માટેના ઉપાય
હરસિંગારના ફૂલ અર્પણ કરો

માનવામાં આવે છે કે, સમુદ્ર મંથન દરમિયાન હરસિંગારના ફૂલની ઉત્પત્તિ થઈ હતી. તે સમયે દેવતાઓને આ ફૂલ મળ્યું હતું. શિવ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, ભગવાન શિવની પૂજામાં આ ફૂલ ચઢાવવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. હરસિંગાર અથવા પારિજાતના ફૂલથી શિવપૂજા કરવાથી તમામ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. 

શિવલિંગ પર બિલીપત્ર ચઢાવો
શિવપુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, શ્રાવણ મહિનામાં ભગવાન શિવને એક લાખ બિલીપત્ર અર્પણ કરવા જોઈએ. આ ઉપાય કરવાથી તમામ ઈચ્છા પૂરી થાય છે અને ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે. 

શિવલિંગ પર અક્ષત અર્પણ કરો
શિવપુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, આર્થિક પરેશાનીથી મુક્તિ મેળવવા નિયમિતરૂપે ભગવાન શિવને ચોખા (અક્ષત) અર્પણ કરવાથી ધન પ્રાપ્તિ થાય છે. આ ચોખા તૂટેલા ના હોવા જોઈએ. 

મગથી શિવલિંગનો અભિષેક
શિવપુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, શ્રાવણ મહિનામાં ભગવાન શિવનો મગથી અભિષેક કરવો જોઈએ. જે માટે રાત્રે મગ પાણીમાં પલાળી દો અને બીજા દિવસે સવારે ભગવાન શિવને અર્પણ કરી દો. આ પ્રકારે કરવાથી દરિદ્રતા દૂર થાય છે. 

ઘીથી શિવલિંગનો અભિષેક
શિવપુરાણ અનુસાર જે વ્યક્તિ શિવલિંગ પર ઘીનો અભિષેક કરે છે, તે વ્યક્તિનું આરોગ્ય સ્વસ્થ રહે છે. આરોગ્ય સંબંધિત સમસ્યા દૂર થાય તે માટે શિવલિંગ પર ઘીનો અભિષેક કરવો જોઈએ. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ