બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / ગુજરાત / Sankatmochan place of Gujarat where the desire is fulfilled by sitting on a stone and walking round

દેવદર્શન / ગુજરાતનું સંકટમોચન સ્થળ, જ્યાં પથ્થર પર બેસી ગોળ ફરવાથી મનોકામના થાય છે પૂર્ણ

Vishal Khamar

Last Updated: 07:08 AM, 22 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહાભારતના સમય દરમિયાન પંચમહાલ જિલ્લાના કેટલાક સ્થળે વિશેષ ઉપસ્થિતિમાં અમુક કાર્યકાળ દરમિયાન પાંડવો વસ્યા હતા. પંચમહાલ જિલ્લાના ખડકી ગામ પાસે હનુમાનજીનું મંદિર છે જે સંકટમોચનના નામથી પ્રસિદ્ધ છે. મંદિરમાં બે પથ્થર છે. જેના પર બેસી ગોળ ફેરવવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે.

મહાભારતના સમય દરમિયાન પાંડવોએ પંચમહાલ જિલ્લાની ઘણી જગ્યાએ વનવાસ કરી સમય પસાર કર્યો હતો. પંચમહાલ જિલ્લાના ખડકી ગામ પાસે આવેલા હનુમાનજી મંદિરે પૌરાણિક કથા લખાયેલી છે. કહેવાય છે કે પંચમહાલના જંગલોમાં હેડંબાના ભાઈને વારંવાર સંકટો આવી પડતા હતા ત્યારે ભીમ હનુમાનજીને પ્રાર્થના કરતા અને હનુમાનજી તેમના સંકટો દૂર કરતા હતા. આ સમયે સંકટમોચન હનુમાનની સ્થાપના થઈ હતી.

બે ચમત્કારિક પથ્થરો જેના ઉપર બેસીએ અને તે જાતે ગોળ ફરે તો મનોકામના પૂર્ણ થતી હોય તેમ તે સમયે સ્થાપિત થયુ હોવાની લોકવાયકા છે. બે પથ્થર પર બેસીને માનતા માનવાથી મનોકામના પૂર્ણ થાય છે. જ્યારે તે પથ્થર ફરે તો સૌના દુઃખ દૂર થાય છે. આજે પણ  પથ્થરો હયાત છે. જેના કારણે આ મંદિરનું નામ સંકટમોચન હનુમાન આપવામાં આવ્યું છે.  ભાવિકોની મનોકામના માંગ્યા બાદ તેમના સંકટો દૂર થતા હોય છે. આ પૌરાણિક મંદિરે ભાવિકો  પોતાની શ્રદ્ધાથી પૂજા અર્ચના કરી ધન્યતા પ્રાપ્ત કરે છે. ખડકી ગામ પાસે આવેલા સંકટ મોચન હનુમાનજીના મંદિરે આજે પણ સવાર સાંજ ભક્તો આવીને દર્શન કરે છે. અને ચમત્કારિક પથ્થર પર બેસીને પોતાની મનોકામના માંગે છે. 

સંકટ મોચન હનુમાનજીના મંદિરે વર્ષોથી ભાવિકો દૂર દૂરથી આવીને પૂજા અર્ચના કરે છે. નાનપણથી જ સંકટમોચન હનુમાન મંદિરે અતૂટ શ્રદ્ધા આસ્થા ધરાવતા સ્થાનિક દર્શનાર્થીઓ દાદાના દર્શન કરવા નિયમિત આવે છે. દાદાના મંદિરે મંગળવાર અને શનિવારે ભાવિકોની ભારે ભીડ ઉમટી પડે છે. પોતાનો ધંધો રોજગાર વધારવા માટે પણ કેટલાક શ્રદ્ધાળુઓ માનતા માને છે. હનુમાનજીના  ચમત્કારી પથ્થર પર બેસી ગોળ ગોળ ફરી ભાવિકો પોતાના દુઃખ દૂર થવાની શ્રદ્ધા રાખે છે. હનુમાન જયંતીના દિવસે મંદિરે ધામધૂમથી હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવે છે. દાદાના મંદિરનો મહિમા અપરંપાર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ