બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
VTV / Rojgar Mela: PM Narendra Modi provided appointment letter to over 51 thousands of people on video conference
Vaidehi
Last Updated: 06:53 PM, 28 August 2023
PM નરેન્દ્ર મોદીએ આજે રોજગાર મેળા અંતર્ગત 51,000 લોકોને અપોઈન્મેંટ લેટર એટલે કે નિમણૂક પત્રો આપ્યાં. આજે સમગ્ર દેશમાં 45 સ્થળોએ આ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં PM મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળામાં વિવિધ પદો માટે 51 હજાર યુવાનોની ભરતી કરી. ગૃહ મંત્રાલયના આ રોજગાર મેળા કાર્યક્રમ હેઠળ વિવિધ સશસ્ત્ર પોલીસ દળો જેમ કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF), બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF), સશાસ્ત્ર સીમા બલ (SSB), આસામ રાઈફલ્સ, સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF), ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP), નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) તેમજ દિલ્હી પોલીસમાં ભરતી થઈ છે.
किसी भी अर्थव्यवस्था को आगे बढ़ने के लिए ये जरूरी है कि देश के हर सेक्टर का विकास हो। pic.twitter.com/YJUp21KPPN
— PMO India (@PMOIndia) August 28, 2023
PM મોદીએ કર્યો સંબોધન
PM મોદીએ સંબોધન દરમિયાન કહ્યું કે,' ઑટોમોબાઈલ, દવા, પર્યટન, અને ફૂડ પ્રોસેસિંગનાં ક્ષેત્રોમાં તેજીથી વૃદ્ધિ થવા અને યુવાનો માટે રોજગારનાં નવા અવસરો પેદા થવાની આશા છે.' તેમણે કહ્યું કે,' માત્ર પર્યટન ક્ષેત્રમાંથી જ 2030 સુધી અર્થવ્યવસ્થામાં 20 લાખ કરોડ રૂપિયાનું યોગદાન મળવાની આશા છે જે ક્ષેત્રમાં 13-14 કરોડ નવી રોજગારી પેદા કરવાની ક્ષમતા છે.' યુવાનોનું સંબોધન કરતાં તેમણે કહ્યું કે,' દરેક ક્ષેત્રનો વિકાસ થવો જોઈએ. ખાદ્યથી લઈ દવા ઉદ્યોગ સુધી, અંતરિક્ષથી લઈ સ્ટાર્ટઅપ સુધી. જ્યારે દરેક ક્ષેત્ર પ્રગતિ કરશે ત્યારે અર્થવ્યવસ્થા વધશે. '
દવા ઉદ્યોગોનો થશે વિકાસ
દવા ઉદ્યોગનું ઉદાહરણ આપતાં PMએ કહ્યું કે,' વર્તમાનમાં 4 લાખ કરોડ રૂપિયાનું આ ક્ષેત્ર 2030 સુધી વધીને 10 લાખ કરોડ થઈ જવાની આશા છે. તેનો અર્થ શું છે ? તેનો અર્થ છે કે આ દશકામાં દવા ઉદ્યોગને યુવાનોની ઘણી જરૂર છે. રોજગારી પેદા થશે. '
Speaking at the Rashtriya Rozgar Mela. Congratulations to the newly inducted personnel who would be serving in the various Forces. https://t.co/aGAkXeRmCQ
— Narendra Modi (@narendramodi) August 28, 2023
10 લાખ લોકોને નોકરી આપવાનો લક્ષ્ય
22 ઓક્ટોબર 2022નાં પ્રધાનમંત્રીએ રોજગાર મેળાનો પ્રથમ ફેઝ શરૂ કર્યો હતો. તેમણે 2023નાં અંત સુધીમાં 10 લાખ લોકોને નોકરી આપવાનો લક્ષ્ય રાખ્યો છે. માહિતી અનુસાર છેલ્લાં 9 મહિનામાં 7 રોજગાર મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 4 લાખ 48 હજારથી વધારે લોકોને લેટર આપવામાં આવ્યાં છે.
સુરક્ષા થશે વધુ મજબૂત
PMO દ્વારા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, આ ભરતીથી દેશની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે. આ ભરતી હેઠળ દિલ્હી પોલીસને પણ સશક્ત કરવામાં આવશે. આ સાથે તે આતંકવાદનો સામનો કરવા, ઉગ્રવાદનો સામનો કરવા, ડાબેરી વિરોધી ઉગ્રવાદ અને દેશની સરહદોની સુરક્ષામાં પણ મદદ કરશે.
તાલીમ લેવાની તક
PMOના નિવેદનમાં કહેવામાં આવ્યું કે, રોજગાર મેળો યુવાનોને સશક્ત બનાવવા માટે એક વિશેષ પગલું છે, જેના હેઠળ તે દેશના વિકાસમાં યુવાનોને તકો પ્રદાન કરશે. IGOT કર્મયોગી પોર્ટલ પરના ઓનલાઈન મોડ્યુલ, કર્મયોગી દ્વારા નવા ભરતી કરનારાઓને પોતાને તાલીમ આપવાની તક પણ મળશે. કોઈપણ ઉપકરણ શીખવા માટે અહીં 673 ઈ-લર્નિંગ કોર્સ ઉપલબ્ધ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ