બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:34 AM, 20 May 2025
બોર્ડર સિક્યુરિટી ફોર્સે આજથી પંજાબમાં ભારત-પાકિસ્તાન સરહદ પર સામાન્ય લોકો માટે રિટ્રીટ સેરેમની ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ઓપરેશન સિંદૂર પછી સુરક્ષા કારણોસર આ કામગીરી બંધ કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અટારી (અમૃતસર), હુસૈનીવાલા (ફિરોઝપુર) અને સડકી (ફાઝિલ્કા) સરહદ ચોકીઓ પર દરરોજ સાંજે યોજાતો આ સમારોહ હવે મંગળવારથી એટલે કે આજથી જાહેર જનતા માટે ફરીથી ખોલવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT

ફેરફાર સાથે પુનઃ શરૂઆત
ADVERTISEMENT
જોકે, આ વખતે કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. બીએસએફ અને પાકિસ્તાન રેન્જર્સ વચ્ચે પરંપરાગત હાથ મિલાવવાની અને સરહદી દરવાજા ખોલવાની પ્રવૃતિ નહીં થાય..મતલબ કે ન તો હાથ મિલાવાશે કે ન તો સરહદી દરવાજા ખોલાશે.
આ પણ વાંચોઃ મિસાઇલની આબરૂના ધજાગરા થતા જોઇ પાકિસ્તાને કહ્યું અમે શાહીન મિસાઇલનો ઉપયોગ જ નથી કર્યો
ADVERTISEMENT
રીટ્રીટ સેરેમની શું છે?
ભારત-પાકિસ્તાન સરહદ પર અટારી બોર્ડર પર રિટ્રીટ સમારોહ રોજિંદી ઘટના છે. આ કાર્યક્રમનું આયોજન BSF (બોર્ડર સિક્યુરિટી ફોર્સ) અને પાકિસ્તાન રેન્જર્સના કર્મચારીઓ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવે છે. આ ઉત્સવ જોવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે.
ADVERTISEMENT
સમારોહનો સમય ઋતુ પ્રમાણે બદલાય છે, પરંતુ સામાન્ય રીતે શિયાળામાં સાંજે 4:15 વાગ્યે અને ઉનાળામાં સાંજે 5:15 વાગ્યે શરૂ થાય છે. મંગળવાર એટલે કે આવતીકાલથી સમારોહ ફરી શરૂ થતાં, લોકોને તેનો ફરીથી અનુભવ કરવાની તક મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.