બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / સાવધાન! પંચક શરૂ થવા જઇ રહ્યું છે, ભૂલથી પણ ન કરતા આ 5 કાર્યો, નહીંતર થશે અનર્થ!

માન્યતા / સાવધાન! પંચક શરૂ થવા જઇ રહ્યું છે, ભૂલથી પણ ન કરતા આ 5 કાર્યો, નહીંતર થશે અનર્થ!

Published By: Vidhata Gothi

Last Updated: 01:51 PM, 20 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Panchak 2026: પંચકનું નામ સાંભળતા જ લોકોના મનમાં થોડી ચિંતા આવી જાય છે. એવું માનવામાં આવે છે કે પંચક દરમિયાન કરવામાં આવેલા કામો અશુભ ફળ આપી શકે છે. એટલા માટે આ સમયે સાવચેતી રાખવી જરૂરી છે.

Panchak 2026: હિન્દુ ધર્મ અને જ્યોતિષશાસ્ત્રમાં મુહૂર્તને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યારે આપણે શુભ કાર્યો માટે મુહૂર્ત જોઈએ છીએ, ત્યારે કેટલાક સમય એવા પણ છે જે વર્જિત માનવામાં આવે છે. એવો જ એક સમય છે પંચક. પંચક 20 જાન્યુઆરીના રોજ મોડી રાત્રે શરૂ થઈ રહ્યો છે. ધાર્મિક માન્યતાઓ પ્રમાણે, પંચક દરમિયાન કેટલીક પ્રવૃત્તિઓ ન કરવી જોઈએ, કારણ કે એવું માનવામાં આવે છે કે આ દરમિયાન અશુભ કાર્યોની અસર પાંચ ગણી વધી જાય છે.

પંચકનો સમય

જ્યોતિષીય ગણતરીઓ અનુસાર, આ વખતે પંચકનો સમયગાળો આ પ્રમાણે રહેશે.

  • પંચકનો પ્રારંભ: 21 જાન્યુઆરી 2026 (બુધવાર) રાતે 1:35 વાગ્યે એટલે કે 20 જાન્યુઆરીની મધ્યરાત્રિ પછી.
  • પંચકનો અંત: 25 જાન્યુઆરી 2026 (રવિવાર) વાપોરે 1:35 વાગ્યે.

આ પંચક કાળ બુધવારથી શરૂ થતો હોવાથી, તેને રાજ પંચક તરીકે પણ ઓળખવામાં આવે છે, જે જ્યોતિષની દ્રષ્ટિએ શુભ પરિણામો લાવે છે, પરંતુ કેટલીક સાવચેતીઓ રાખવી જરૂરી છે.

શું હોય છે પંચક?

જ્યારે ચંદ્ર ધનિષ્ઠા, શતભિષા, પૂર્વા ભાદ્રપદ, ઉત્તરા ભાદ્રપદ અને રેવતી નક્ષત્રોમાં ગોચર કરે છે, ત્યારે તે કાળને પંચક કહેવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો, જ્યારે ચંદ્ર કુંભ અને મીન રાશિમાં હોય છે ત્યારે પંચક લાગે છે. શાસ્ત્રો પ્રમાણે, પંચકનો અર્થ છે 'પાંચ'. એવું માનવામાં આવે છે કે આ દરમિયાન બનતી કોઈપણ શુભ કે અશુભ ઘટના પાંચ વખત થઈ શકે છે.

vtv app promotion

પંચકમાં ન કરો આ કામ

  • લાકડા ભેગા કરવા - પંચક દરમિયાન બળતણ અથવા ભૂસું માટે લાકડા એકઠા કરવા અશુભ માનવામાં આવે છે. તેનાથી આગનો ભય રહે છે.
  • ઘરનું ધાબું ભરાવવું - જો ઘર બનાવી રહ્યા હોવ, તો પંચક દરમિયાન ધાબું ન ભારાવો. એવું માનવામાં આવે છે કે આનાથી ઘરમાં તકલીફ અને આર્થિક નુકસાન થઈ શકે છે.
  • ખાટલો કે પલંગ બનાવવો - પંચક દરમિયાન નવો પલંગ કે ખાટલો બનાવો કે ખરીદવો શુભ માનવામાં આવતો નથી. તે શાંતિ અને સુખમાં ખલેલ પહોંચાડી શકે છે.
  • દક્ષિણ દિશા તરફ યાત્રા - દક્ષિણ દિશાને યમની દિશા માનવામાં આવે છે. પંચક દરમિયાન આ દિશામાં યાત્રા કરવી દુઃખદાયક હોઈ શકે છે.
  • અંતિમ સંસ્કાર - જો પંચક દરમિયાન કોઈનું મૃત્યુ થાય છે, તો અંતિમ સંસ્કાર ખાસ વિધિઓ સાથે કરવામાં આવે છે. શાંતિ માટે શરીર સાથે પાંચ પૂતળા બનાવીને બાળવામાં આવે છે.

આ પણ વાંચો: શનિના નક્ષત્ર પરિવર્તનથી બચીને રહે આ રાશિવાળા, ગમે ત્યારે આવી શકે મોટી મુસીબત

પંચકમાં શું કરવું?

પંચકમાં પૂજા, નામકરણ વિધિ અને નિયમિત વ્યવસાયિક પ્રવૃત્તિઓ કરી શકાય છે. કારણ કે આ રાજ પંચક છે, સરકારી કાર્ય અને મિલકતની લેવડ-દેવડમાં સફળતા મળવાના યોગ છે. યાદ રાખો કે પ્રતિબંધિત કાર્યો ન કરો. કોઈપણ નવું અને મોટું કાર્ય શરૂ કરતા પહેલા હૃદયમાં શ્રદ્ધા રાખો અને કુળદેવતાનું સ્મરણ જરૂર કરો.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Panchak 2026 Panchak Forbidden Activities Religion News

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ