બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
RBIએ નાણાંકીય નીતિ સમિતિની બેઠકમાં વ્યાજ દરમાં કોઇ ફેરફાર કર્યો નથી. RBI ગર્વનર શક્તિકાંત દાસે કહ્યું કે સમિતએ વ્યાજ દર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. તેનો મતલબ રેપો રેટ હજી પણ 4 ટકા અને રિવર્સ રેપોરેટ 3.35 ટકા પર જ રહેશે.
ડબલ ડિજિટમાં અર્થવ્યવસ્થા દોડશે
રિઝર્વ બેંકે આવતા નાણાંકીય વર્ષ 2021-22માં જીડીપીમાં 10.5 ટકાના વધારા સાથે અનુમાન લગાવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે બજેટમાં આ 11 ટકા થવાનું અનુમાન લગાવામાં આવ્યું છે.
ADVERTISEMENT
Address by Shri Shaktikanta Das, Governor, Reserve Bank of India https://t.co/Yr2FmWVd30
— ReserveBankOfIndia (@RBI) February 5, 2021
ADVERTISEMENT
RBI ગર્વનરે કહ્યું કે ધીરે-ધીરે ઘરોના વેચાણમાં સુધાર થયો છે, આ સાથે જ હવે લોકોના ખર્ચ કરવાની ક્ષમતા એકવાર ફરી રિકવર થઇ રહી છે. હાલમાં જ બજેટ રજૂ કરાયું છે તેમાં રોકાણની સ્થિતિ સુધારવાની આશા છે.
આર્થિક વિકાસને સપોર્ટ કરવો જરુરી
RBIએ નાણાંકીય વર્ષ 2022ના પહેલા છ મહીનામાં છૂટક ફુગાવાના દરના અનુમાનને રિવાઇઝ કરીને 5 કે 5.2 ટકા કરી દીધો છે. પહેલા આ અનુમાન 4.6 થી 5.2 ટકા પર હતો. આરબીઆઇના ગર્વનરે કહ્યું કે મોંઘવારી દર 6 ટકાના ટોલરેંસના સ્તર નીચે આવી ગયો છે. આર્થિક વિકાસનું અનુમાન પહેલા કરતા સારુ થયું છે.
ADVERTISEMENT
રોકડની વ્યવસ્થા જરુરી
વ્યાજમાં ઘટાડાની ઓછી આશા હોવાના કારણે કેન્દ્રીય બેંકથી માર્કેટને અપેક્ષા છે કે પર્યાપ્ત રોકડનું પ્રાવધાન કરવાની જોગવાઇ કરશે.
4 ટકા હજી પણ રેપો રેટ
રિઝર્વ બેંકનો રેપો રેટ 4 ટકા છે, જે ઐતિહાસિક રીતે ઓછો છે. આ પહેલા અંતિમ સમયે 22 મે 2020ના રોજ બદલવામાં આવી હતી. કોરોના વાયરસના કારણે આ ફેરફાર MPC બેઠક વગર જ કરવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી 2020થી અત્યાર સુધી RBIએ રેપો રેટમાં કુલ 1.15 ટકાનો ઘટાડો ક્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.