બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ranbir kapoor starrer shamshera release date announced on 22 july

નવુ ટીઝર / વધુ એક ફિલ્મની સાથે ધમાલ મચાવશે રણબીર કપૂર, 'બહ્માસ્ત્ર' બાદ બનશે 'શમશેરા'

Premal

Last Updated: 04:31 PM, 11 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચાલુ વર્ષ રણબીર કપૂર માટે સારું જશે. કારણકે એક પછી એક તેની ધાંસૂ ફિલ્મો રિલીઝ થઇ રહી છે. થોડા દિવસો પહેલા બહ્માસ્ત્રનુ ટીઝર આવ્યું હતુ. જેને લોકોએ ખૂબ પસંદ કર્યુ હતુ. હવે તેમની નવી ફિલ્મની રિલીઝ ડેટ સામે આવી છે.

  • વધુ એક ફિલ્મની સાથે ધૂમ મચાવશે રણબીર કપૂર
  • રણબીર કપૂર અભિનીત શમશેરા ફિલ્મનું નવુ ટીઝર સામે આવ્યું
  • આ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી

રણબીરની શમશેરા

હવે રણબીરના ચાહકોને તેનુ વધુ એક રૂપ જોવા મળશે અને તે છે ડાકુનુ. રણબીર કપૂર અભિનીત શમશેરા ફિલ્મનું નવુ ટીઝર સામે આવ્યું છે. આ સાથે આ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. પ્રશંસકો રણબીરની ફિલ્મ શમશેરાની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે. ફિલ્મના ટીઝરમાં સૌથી પહેલા સંજય દત્ત બતાવવામાં આવે છે, જે શમશેરાનો પરિચય આપે છે. તો વાણી કપૂર પણ આ ટીઝરમાં દેખાય છે અને શમશેરા અંગે બોલે છે. ત્યારબાદ પણ રણબીર કપૂર અંધારામાં બેઠેલા દેખાય છે અને શમશેરા અંગે દર્શકો સાથે વાતચીત કરે છે. 

સંજય દત્ત અને વાણી કપૂર પણ ફિલ્મમાં

સંજય દત્ત ફિલ્મ શમશેરા અંગે કહે છે, 'આ કહાની છે તેની, જે કહેતા હતા કે ગુલામી કોઈની પણ સારી હોતી નથી. ન પોતાના લોકોની અને ન પારકાની. ત્યારબાદ વાણી કપૂર કહે છે, આ કહાની છે એની જેને બાપની વિરાસતમાં આઝાદીનુ સપનુ મળ્યું. ત્યારબાદ રણબીર કપૂર કહે છે, પરંતુ આઝાદી તમને કોઈ આપતુ નથી. આઝાદી છીનવીને લેવામાં આવે છે. કર્મ થી ડકૈત, ધર્મથી આઝાદ.'

22 જુલાઈએ રિલીઝ થશે ફિલ્મ

રણબીર કપૂર, સંજય દત્ત અને વાણી કપૂર અભિનીત આ ફિલ્મ 22 જુલાઈએ રિલીઝ થશે. ફિલ્મને 3 ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે. હિન્દી, તામિલ અને તેલુગૂ. આ ફિલ્મ તમે ટૂંક સમયમાં સિનેમાઘરમાં જોઈ શકશો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ