બ્રેકિંગ ન્યુઝ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
VTV / ram navami shobha yatra surya tilak ram dhun ram mandir devotees all updates
Dinesh
Last Updated: 09:56 AM, 17 April 2024
આજે રામ નવમીના તહેવારને લઈ દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ વખતની રામનવમી ખાસ છે કારણ કે, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ રામલલાની આ પહેલી રામનવમી છે. આ દરમિયાન રામલલાની વિશેષ પૂજા કરવામાં આવી રહી છે. રામલલાને સૂર્ય અભિષેક કરાશે. આ અવસર પર રામ મંદિરનો વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો છે.
#WATCH | Uttar Pradesh: Devotees take holy dip in Saryu River as they arrive at Ram temple in Ayodhya, on the occasion of #RamNavami pic.twitter.com/ET582pvoT6
— ANI (@ANI) April 16, 2024
ભક્તોની ભારે ભીડ
રામનવમી નિમિત્તે રામ મંદિરના દ્વાર સવારે 3.30 વાગ્યે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા છે અને રાત્રે 11 વાગ્યા સુધી ભક્તો રામલલાના દર્શન કરી શકશે. જેને લઈ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. રામલલાનું સૂર્ય તિલક બપોરે 12.16 કલાકે કરવામાં આવશે.
#WATCH | Uttar Pradesh: Devotees throng Ram temple in Ayodhya, on the occasion of #RamNavami pic.twitter.com/H2n0sQi4AP
— ANI (@ANI) April 17, 2024
સરયૂ નદીની આરતી કરાઈ
રામલલાના દર્શનને લઈ રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રામનવમી નિમિત્તે ભક્તો સરયુ નદીમાં શ્રદ્ધા અને આસ્થા પૂર્વક ડૂબકી મારશે. રામ નવમી નિમિત્તે આજે બુધવારે વહેલી સવારથી જ ભક્તો રામ મંદિર પહોંચી દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યાં છે. ત્યારે અયોધ્યા નગરી જયશ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું છે.
#WATCH | Uttar Pradesh: Devotees throng Ram temple in Ayodhya, on the occasion of #RamNavami pic.twitter.com/MTGzGvcbud
— ANI (@ANI) April 17, 2024
રામધૂનનો રણકારો અયોધ્યા નગરી સંભળાઈ રહ્યો છે. જેને લઈ પોલીસે પણ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. રાત્રે જ શ્રદ્ધાળુઓ અયોધ્યા શહેરમાં પહોંચી ગયા હતા અને સવારે સ્નાન કરી પૂજાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અહીં સૌપ્રથમ સરયૂ ઘાટ પર સરયૂ આરતી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
વાંચવા જેવું: રામ નવમીના દિવસે આ શુભ મુહૂર્ત પર કરો હવન-પૂજન, મળશે મા દુર્ગાના આશીર્વાદ
રામલલાનું સૂર્ય તિલક?
રામમાલાના સૂર્ય તિલક દરમિયાન ભક્તોને રામ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. સૂર્ય તિલક માટે મંદિર ટ્રસ્ટે લગભગ 100 LED લગાવ્યા છે. જ્યારે સરકારે 50 LEDની વ્યવસ્થા કરી છે. જેના દ્વારા રામ નવમીની ઉજવણી બતાવવામાં આવશે. રામલલાની મૂર્તિના સૂર્ય અભિષેકના દર્શન ખૂબ જ અદ્ભુત હશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh