બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:36 PM, 24 March 2024
Loksabha Election 2024: લોકસભાની ચૂંટણીને લઈ દેશમાં રાજકારણ ભારે ગરમાયું છે. ત્યારે તમામ રાજકીય પક્ષોએ પ્રચાર તેજ કરી દીધા છે. જેમાં એક તરફ નિવેદનો શરૂ થયા છે તો બીજી તરફ તેનાઓની સભાઓ ગુંજી રહી છે. આ બધાની વચ્ચે પરશોત્તમ રૂપાલાના રજવાડા અંગેના નિવેદનથી વિવાદ વકર્યો છે.
ADVERTISEMENT
પરશોત્તમ રૂપાલાના નિવેદનથી વિવાદ
રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ રજવાડા અંગે એક નિવેદન આપ્યું છે. જે વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, રૂખી સમાજે ધર્મ કે વ્યવહાર નહોતો બદલ્યો. સૌથી વધુ દમન થયુ છતા રૂખી સમાજ નહોતો ઝૂક્યો. વધુમાં કહ્યું હતું કે, મહારાજાઓએ અંગ્રેજો સામે રોટી-બેટીના વ્યવહાર કર્યા હતો. રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
'એમના ભરોશે તો રામ આવ્યો હતો'
તેમણે કહ્યું કે, રાજા-મહારાજાએ રોટી-બેટીના વ્યવહાર કર્યા પરંતુ મારી આ રૂખી સમાજ ન હતો ધર્મ બદલ્યો ન હતો વ્યવહાર કર્યો. સૌથી વધુ દમન કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, એમના ભરોશે તો રામ આવ્યો હતો. તે દિવસે આ લોકો તલવાર આગળ નહોતા ઝુક્યાં, તે તો નાની સમાજ છે.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
રાજ્યસભા ચૂંટણી 2026 / આજે રાજ્યસભાના સાંસદ પદના ગુજરાતના ઉમેદવાર ફોર્મ ભરશે, CM, ડે. સીએમ રહેશે હાજર
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.