રાજકોટમાં કોરોના કહેરકાળમાં પ્રજા વચ્ચે નહી દેખાતા ભાજપ નેતાની ટકોર કરતો પત્ર સામે આવ્યો છે. પ્રદેશ ભાજપ અગ્રમી ચેતન રામાણીએ CMને પત્ર લખ્યો છે.
રાજકોટ ભાજપના નેતાનો બળાપો
કોરોનાકાળમાં ભાજપના દિગ્ગજો નથી દેખાયા
CMને પત્ર લખીને રજૂઆત
ચેતન રામાણીએ પોતાના પત્રમાં જણાવ્યુ છે કે, સાંસદ સભ્યો, ધારાસભ્યો અને કોર્પોરેટર પ્રજા વચ્ચે જવા સુચના આપવાની રજૂઆત કરી છે. જનતાએ ખોબે ખોબે મત આપ્યા છે હવે સેવા કરવાનો મોકો છે. ત્યારે તાલુકા, જિલ્લા વાઈઝ કામની વહેંચણીી કરીને પ્રજાની મદદે જવું જોઈએ તેમ કહીને તેમણે જણાવ્યુ હતુ કે, રાજકોટના સાસંદ મોહન કુંડારિયા સહિતના MLA જોવા મળ્યા નથી. કોર્પોરેટરો અને ભાજપ હોદ્દેદારો પણ જોવા મળ્યા નથી.