બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rahul Gandhi Bharat Jodo Nyaya Yatra reached Panchmahal's Godhra
Last Updated: 05:10 PM, 8 March 2024
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો ગુજરાતમાં આજે બીજો દિવસ છે. ગઈકાલે રાજસ્થાનના બાંસવાડાથી ગુજરાતના ઝાલોદમાં ભારત જોડો ન્યાય યાત્રા પ્રવેશી હતી. આજે દાહોદ બસ સ્ટેશનથી સરદાર પટેલ સર્કલ સુધી રાહુલ ગાંધી પદયાત્રા યોજાઇ હતી. ત્યારબાદ રાહુલ ગાંધીએ દાહોદ બસ સ્ટેન્ડથી લાલ જીપમાં બેસી રોડશો યોજ્યો હતો. રાહુલ ગાંધીની આ યાત્રા પંચમહાલના ગોધરામાં પણ પહોંચી હતી. જ્યાં રાહુલ ગાંધીએ જાહેર સભાને સંબોધી હતી.
ADVERTISEMENT
ગોધરામાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા
ગોધરામાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પહોંચી હતી. મુફ્તી આછોદી માર્ગ પર મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતાં જ્યાં રાહુલ ગાંધીએ જાહેરસભાને સંબોધી પણ હતી. તેમણે કહ્યું કે, હિન્દુસ્તાન નફરતનો દેશ નથી. ભારતમાં યુવાનોને રોજગાર આપવામાં આવતો નથી. નાના દુકાનદારો અત્યારે પાયમાલ થઈ રહ્યા છે. દરેક સેક્ટરમાં અત્યારે માત્ર અદાણી જ જોવા મળે છે. તેમણે સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, નાના વેપારી પાસે જતા રૂપિયા અત્યારે અદાણી પાસે થઈ રહ્યા છે. અત્યારે હથિયાર પણ અદાણીની કંપની બનાવી રહી છે
ADVERTISEMENT
ADVERTISEMENT
'કોંગ્રેસની સરકાર બનશે તો દેશમાં 30 લાખ ખાલી જગ્યા ભરવામાં આવશે'
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, દેશમાં એવો કોઈ યુવાન નથી જેને અગ્નીવિર યોજના સારી લાગતી હોય. દેશના સૈનિકોને પણ અગ્નિવિર યોજના યોગ્ય લાગતી નથી. યુવાનોને રોજગારીના તમામ રસ્તા બંધ કરવામાં આવ્યા છે. રાજસ્થાનમાં યુવાનોને રોજગારી આપવાનો કોંગ્રેસે ગેરંટી આપી અને કોંગ્રેસની સરકાર બનશે તો દેશમાં 30 લાખ ખાલી જગ્યા ભરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, પરીક્ષા તો લેવાય છે પણ પેપર ફૂટી જાય છે. પેપર લીક ન થાય તે માટે અલગ કાનૂન લાવીશું. અમારી સરકાર બનશે તો પેપર લીક થતા રોકવામાં આવશે. જો કોઈ પેપર લીક કરશે તો કડક કાર્યવાહી કરીશું. સરકારી એજન્સી પાસે જ પેપર છાપવાની છૂટ આપીશું.
युवाओं एक और खुशखबरी सुनो!
— Rahul Gandhi (@RahulGandhi) March 7, 2024
कांग्रेस की ‘भर्ती भरोसा योजना’ 30 लाख पदों पर स्थायी नियुक्ति की गारंटी है।
हम न सिर्फ विभिन्न सरकारी संस्थानों, पब्लिक सेक्टर्स और आशा/आंगनवाड़ी जैसी योजनाओं में रिक्त पड़े पदों को भरेंगे बल्कि शिक्षा, स्वास्थ्य और रेलवे जैसे विभाग जहां अतिरिक्त…
ADVERTISEMENT
'...ખેડૂતોનું દેવું માફ કરીશું'
ADVERTISEMENT
સરકાર પર આકરા પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભાજપની સરકાર ઉદ્યોગપતિનું દેવું માફ કરી રહી છે. અમારી સરકાર બનશે તો ખેડૂતોનું દેવું માફ કરીશું. 5 હજાર કરોડ રૂપિયાનું ગરીબ યુવાનો માટે ફંડ રાખવામાં આવશે. નવું સ્ટાર્ટઅપ શરૂ કરવામાં માટે ગરીબ યુવાનોને મદદ કરીશું
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.