ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અરવલ્લીને બચાવવા ગુજરાતમાં અભિયાન, નેતાઓ,સ્થાનિકો અને સાધુ-સંતોએ વિરોધ કર્યો
Last Updated: 08:28 PM, 22 December 2025
ADVERTISEMENT
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમકોર્ટના ચુકાદા બાદ ગુજરાતમાં વિરોધ ઉભો થવા પામ્યો છે. અરવલ્લી રણપ્રદેશ બવાનો લોકોને ભય, ચુકાદામાં ફેર વિચારણાની માંગ છે. કોંગ્રેસ નેતાઓ, સ્થાનિકો અને સાધુ-સંતોએ પણ વિરોધ નોંધાવ્યો છે. પહાડો દૂર થાય તો અસ્તિત્વ પર જોખમ ઉભું થવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે. કોંગ્રેસ પર્વતમાળા બચાવવા માટે અરવ્લલી બચાવો અભિયાન શરૂ કર્યું છે. કોંગ્રેસે કહ્યું કે, ખેડૂતો, પ્રકૃતિપ્રેમીઓ, સંતોને સાથે રાખીને આંદોલન થશે.
ADVERTISEMENT
Aravalli: અરવલ્લી પર્વતોની નવી પરિભાષાને સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂરી આપવાથી વ્યાપક વિવાદ થયો છે, જેમાં પર્યાવરણવાદીઓ અને જનતા દ્વારા વ્યાપક વાંધો ઉઠાવવામાં આવ્યો છે. જો કે કેન્દ્ર સરકારે રવિવારે એવા અહેવાલોને ફગાવી દીધા હતા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અરવલ્લી પર્વતોની વ્યાખ્યામાં ફેરફારથી મોટા પાયે ખનનને મંજૂરી મળશે.
કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર સુપ્રીમ કોર્ટે સમિતિની ભલામણ સ્વીકારી છે, જે સંરક્ષિત વિસ્તારો, ઇકો-સેન્સિટિવ ઝોન, વાઘ અભયારણ્ય, આદ્રભૂમિ અને તેમની આસપાસના વિસ્તારોમાં ખનન પર સંપૂર્ણ રોક રહેશે. રાષ્ટ્રીય હિતમાં આવશ્યક, રણનીતિક અને ઊડાણમાં સ્થીત ખનીજ માટે જ મર્યાદિત મુક્તિઓ આપવામાં આવશે.
ADVERTISEMENT

સરકારે સ્પષ્ટતા કરી હતી કે સુપ્રીમ કોર્ટના આદેશને કારણે સમગ્ર ક્ષેત્રમાં નવા ખનન પટ્ટા પર પહેલાથી જ પ્રતિબંધ છે. સરકારે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂર કરાયેલ માળખું અરવલ્લી પર્વતમાળાને પહેલા કરતાં વધુ મજબૂત રક્ષણ પૂરું પાડે છે અને જ્યાં સુધી એક વ્યાપક વ્યવસ્થાપન યોજનાને અંતિમ સ્વરૂપ ન મળે ત્યાં સુધી નવા ખનન પટ્ટા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકે છે.
ADVERTISEMENT

સુંદરવન ટાઇગર રિઝર્વ ખાતે પત્રકારો સાથે વાત કરતા પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂર કરાયેલી વ્યાખ્યા હેઠળ, અરવલ્લી પ્રદેશનો 90 ટકાથી વધુ ભાગ સંરક્ષિત ક્ષેત્રમાં આવશે. 100-મીટરના માપદંડ પરના વિવાદ વચ્ચે જારી કરાયેલ સ્પષ્ટતામાં, સરકારે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર અરવલ્લી પર્વત અને પર્વતમાળાઓની વ્યાખ્યા તમામ રાજ્યોમાં પ્રમાણિત કરવામાં આવી છે જેથી અસ્પષ્ટતા દૂર કરી શકાય અને ટેકરીઓના પાયાની ખૂબ નજીક ખાણકામને મંજૂરી આપતી દુરુપયોગને અટકાવી શકાય.
ADVERTISEMENT

આ ઉપાયોમાં 500 મીટરની અંદરની પહાડિયોને એક પર્વતમાળા માનવી, કોઈપણ ખનન નિર્ણય પહેલાં સર્વે ઓફ ઇન્ડિયાના નકશા પર પહાડિયો અને પર્વતમાળાઓનું ફરજિયાત મેપિંગ અને મુખ્ય અને અખંડ વિસ્તારોને સ્પષ્ટ રીતે ઓળખવાનો સમાવેશ થાય છે જ્યાં ખાણકામ સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે.
ADVERTISEMENT
સરકારે એક પૃષ્ટભૂમિ નોટમાં એવા દાવાઓને પણ નકારી કાઢ્યા હતા કે 100 મીટરથી નીચેના વિસ્તારોમાં ખાણકામની મંજૂરી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પ્રતિબંધ ફક્ત પહાડની ચોટી કે ઢોળાવ સુધી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર પહાડી તંત્ર અને તેની અંદરના ભૂમિ સ્વરૂપોને લાગુ પડે છે. સરકારે જણાવ્યું હતું કે 100 મીટરથી નીચેના તમામ ભૂમિ સ્વરૂપો ખનન માટે ખુલ્લા છે તે તારણ કાઢવું ખોટું છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ વૈષ્ણોદેવી યાત્રાના નિયમોમાં મોટો ફેરફાર, 10 કલાકમાં યાત્રા ફરજિયાત, આ કારણને લીધે થયા ફેરફાર
સરકારે જણાવ્યું હતું કે રાજસ્થાન, હરિયાણા અને ગુજરાતના જિલ્લા સ્તરના વિશ્લેષણ દર્શાવે છે કે હાલમાં કાયદેસર રીતે માન્ય ખનન અરવલ્લી ક્ષેત્રના કુલ ભૌગોલિક વિસ્તારના માત્ર 0.19 ટકા છે, અરવલ્લી 37 જિલ્લામાં ફેલાયેલું છે. દિલ્હી જ્યા પાંચ જિલ્લામાં અરવલ્લીનો સમાવેશ થાય છે, ત્યા કોઈપણ પ્રકારના ખનનની મંજુરી નથી. સરકારે જણાવ્યું હતું કે અરવલ્લી પ્રદેશ માટે સૌથી મોટો ખતરો અવૈધ અને અનિયંત્રિત ખનન છે. આને રોકવા માટે સમિતિએ દેખરેખ અને અમલીકરણને મજબૂત બનાવવા અને ડ્રોન અને સર્વેલન્સ ટેકનોલોજી જેવા આધુનિક સાધનોનો ઉપયોગ કરવાની ભલામણ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો