બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 26મી એપ્રિલે મતદાન, 28મીએ મત ગણતરી, ગુજરાતમાં આજથી આચારસંહિતા લાગુ
Last Updated: 05:29 PM, 1 April 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થતા જ રાજકીય પાર્ટીઓ ઉમેદનારોની પસંદગી પ્રક્રિયા ઝડપી કરી દીધી છે. તા. 26 એપ્રિલે 15 મહાનગર પાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. તેમજ 28 એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આજથી આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે.
ADVERTISEMENT
SIR ની કામગીરી પૂર્ણ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. SIR ની કામગીરી પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચ દ્વારા સાંજે 5 વાગ્યા આસપાસ ફાઈનલ મતદાર યાદી જાહેર કરવામાં આવશે. તેમજ ફાઈનલ મતદાર યાદી જાહેર ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખો જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 15 મહાનગર પાલિકા અને જ્યારે બીજા તબક્કામાં 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત અને 84 નગરપાલિકાની ચૂંટણી યોજાઈ શકે છે.
ADVERTISEMENT

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા SIR ની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે ફાઈનલ મતદાર યાદી જાહેર થનાર છે. પંચ દ્વારા આજે સાંજે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની તારીખ જાહેર કરી શકે છે. ચૂંટણી પંચ આજે સાંજે 5 વાગ્યે પ્રેસકોન્ફરન્સ દરમ્યાન સંપૂર્ણ કાર્યક્રમ જાહેર થઈ શકે છે.
ADVERTISEMENT

રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી
ADVERTISEMENT
ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે ફાઈનલ મતદાર યાદી જાહેર થયા બાદ આવતીકાલ સુધીમાં ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ શકે છે. રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ જિલ્લા-મહાનગરોમાં નીરીક્ષકોને મોકલી સેન્સ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃ આગામી 4 દિવસ ગુજરાત પર ફરી માવઠાની ઘાત, ગાજવીજ સાથે વરસાદની આગાહી
ADVERTISEMENT
2021 માં ક્યારે જાહેર થઈ હતી ચૂંટણીની તારીખ
2021 માં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ તા. 23 જાન્યુઆરી 2021 ના રોજ જાહેર કરવામાં આવી હતી. મહાનગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ 26 ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ 5 માર્ચે પૂર્ણ થયો હતો. SIR ની કામગીરી ચાલુ હોઈ સ્થાનિક સ્વરાજ્યની ટર્મ પૂર્ણ થયા બાદ સમયસર ચૂંટણી ન થતા વહીવટદારની નિમણૂંક કરવાની ફરજ પડી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.