બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:01 PM, 28 January 2025
મૌની અમાવસ્યાના કારણે શહેરમાં પહેલેથી જ ભીડ જામી છે. બીજું કે, મહાકુંભ માટે આવેલા ભક્તો હવે મોટી સંખ્યામાં અયોધ્યા પહોંચી શકે છે. હવે આ ભક્તોના પ્રેમથી મંદિરમાં ભીડ જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં રામ મંદિર ટ્રસ્ટે ભક્તોને આપી સલાહ.
ADVERTISEMENT

મૌની અમાવસ્યાના લીધે 10 કરોડ ભક્તો પ્રયાગરાજ પહોંચી શકે છે અને એમાંય પાછુ અયોધ્યા ત્યાંથી 168 કિલોમીટર દૂર છે. એવામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે ભક્તોને 15 દિવસ પછી જ અયોધ્યા આવવાની સલાહ આપી છે.
ADVERTISEMENT
વધુ વાંચો: મોતને મ્હાત! દરિયા કિનારે બેઠેલી મા-દીકરીને મોજાએ બાનમાં લીધી, શ્વાસ થંભાવતો વીડિયો વાયરલ
ચંપત રાયે કહ્યું કે, 'પ્રયાગરાજમાં 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યાનું મુખ્ય સ્નાન છે. આ દિવસે અંદાજીત 10 કરોડ લોકો ગંગા સ્નાન કરશે. બીજું કે, પ્રયાગરાજથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચી રહ્યા છે. ભક્તો ટ્રેન અને હાઈવે રોડ બંને માર્ગેથી અયોધ્યા આવી રહ્યા છે.'
ADVERTISEMENT
आदरणीय भक्तजन,
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) January 28, 2025
जय श्री राम!
प्रयागराज में दिनांक 29 जनवरी को कुम्भ में मौनी अमावस्या का मुख्य स्नान है। अनुमान है कि लगभग 10 करोड श्रद्धालु दिनांक 29 जनवरी को प्रयागराज में स्नान करेंगे। बहुत बड़ी संख्या में प्रयागराज से भक्तजन अयोध्या जी पहुंच रहे हैं। ट्रेन एवं सड़क दोनों…
તેમણે વધુમાં કહ્યું કે, અયોધ્યા ધામની વસ્તીને જોતા લાગે છે કે આટલી મોટી સંખ્યામાં આવનાર લોકોને રામલલાના દર્શન કરવામાં તકલીફ પડી શકે છે. આ કારણોસર નજીકના વિસ્તારના શ્રદ્ધાળુઓ 15-20 દિવસ પછી દર્શન માટે અયોધ્યા આવે તેવી વિનંતી છે.
ADVERTISEMENT
44 ઘાટનો વિકાસ થયો
મૌની અમાવસ્યા પર આવનારા કરોડો ભક્તોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે, તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. લગભગ 12 કિલોમીટરના વિસ્તારમાં વિકસિત 44 ઘાટો પર સ્નાન કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ઘાટ પર એસડીએમ, સીઓ, તહસીલદાર અને નાયબ તહસીલદારની સાથે તૈનાત કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT

ઘાટ પર તૈનાત IAS-IPS
ADVERTISEMENT
સંગમ કિનારે ઘાટની સાથે જ ઐરાવત ઘાટ અને અરેલ ઘાટ છે, ત્યાં ADM અને SDM રેન્કના IAS અધિકારીઓ અને PCS અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રયાગરાજ સહિત આસપાસના 10 જિલ્લાના ડીએમ અને એસપીની પણ નિમણૂક કરવામાં આવી છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.