બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Malay
Last Updated: 03:24 PM, 21 June 2023
રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી કેટલાક લે-ભાગુ હોલસેલરો ગ્રાહકોને સસ્તામાં સોનું આપવાની લાલચ આપી સોનાના પાવડરયુક્ત ઘરેણા પધરાવી ગ્રાહકો સાથે છેતરપિંડી આચરતા હોવાના અનેક બનાવો બની રહ્યા છે. ત્યારે રાજકોટની સોની બજાર અને પેલેસ રોડ પર ગ્રાહકોની જાગૃતિ માટે બેનરો લગાવવામાં આવ્યા છે.
'પીળુ એટલે સોનું નથી', સોની બજારમાં લાગ્યા પોસ્ટર
રાજકોટ સોની બજાર અને પેલેસ રોડ લગાવેલા પોસ્ટરમાં સોનામાં પાવડર ભેળવવામાં આવતો હોવાનો ઉલ્લેખ કરાયો છે. સાથે જ લોકોને દાગીનાની ખરીદી કરતી વખતે તકેદારી રાખવાની સલાહ પણ આપવામાં આવી છે. આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, 'સાવધાન ''પીળુ એટલે સોનું નથી'', લે-ભાગુ હોલસેલરો પાસેથી સોનાના મશીન ચેઈનની ખરીદી પહેલા પાવડરયુક્ત સોનાની ગુણવત્તાની ચકાસણી કરવાનો આગ્રહ રાખો.'
સોનાની ચેઈનમાં પાઉડરને કરવામાં આવે છે ભેળસેળઃ વેપારી
સોનાના દાગીનામાં ભેળસેળ થતી હોવાનો આક્ષેપ કરતા સોની બજારના એક વેપારીએ જણાવ્યું કે, કેટલાક હોલસેલરો સસ્તામાં સોનું આપવાની લાલચ આપીને પાવડરયુક્ત મશીન ચેઈન આપીને છેતરપિંડી આચરે છે. મશીન દ્વારા બનતી સોનાની ચેઈનમાં પાઉડરને ભેળસેળ કરવામાં આવે છે.
'વહેલી તકે ભેળસેળ બંધ થવી જરૂરી'
તેમણે જણાવ્યું કે, જ્યાં સુધી આ ચેઈનને પહેરવામાં આવે ત્યાં સુધી તેમાં પાવડર મિક્સ કરાયો છે તેનો ખ્યાલ આવતો નથી. જ્યારે તેને ભઠ્ઠીમાં ઓગાળીએ ત્યારે જ તેનો ખ્યાલ આવે છે. શીનમાં જે ચેઈન બનાવે છે તે વાસ્તવમાં સોનાની હોતી જ નથી. તેમાં માત્ર સોનાનો પાવડર ભેળવી દેવામાં આવે છે જેથી તે સાચા સોનાની જેમ તેની પીળાશ ચમકે છે. આનાથી કેન્સર જેવા રોગ થવાની શક્યતા રહે છે. આ ભેળસેળ વહેલી તકે બંધ થવી જરૂરી છે.
બિલ સાથે સોનાની ખરીદી કરવી જોઈએઃ વેપારી
તેમણે ગ્રાહકોને અપીલ કરતા જણાવ્યું કે, જે કોઈ સોનાના દાગીનાની ખરીદી કરવા જાય તેઓએ હંમેશા HUID નંબર તેમજ બિલ સાથે સોનાની ખરીદી કરવી જોઈએ. જેથી જ્યારે પણ વેચાણ કરવા જાય ત્યારે તેમને તેની પૂરી કિંમત મળી શકે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime