બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / શાળામાં લોખંડની જાળી મુદ્દે રજૂઆત કરવા ગયા અને મારામારી! વાલીએ ટ્રસ્ટી સામે કર્યા આક્ષેપ

પોરબંદર / શાળામાં લોખંડની જાળી મુદ્દે રજૂઆત કરવા ગયા અને મારામારી! વાલીએ ટ્રસ્ટી સામે કર્યા આક્ષેપ

Published By: Nidhi Panchal

Last Updated: 02:10 PM, 3 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોરબંદરની કે.બી. તાજાવાલા સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને રજૂઆત કરવા ગયેલા વાલી અને સ્કૂલના ટ્રસ્ટી વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.

પોરબંદરની કે.બી. તાજાવાલા સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે. વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દે રજૂઆત કરવા ગયેલા વાલી અને સ્કૂલના ટ્રસ્ટી વચ્ચે થયેલી બોલાચાલી બાદ મારામારીની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાને પગલે બંને પક્ષે એકબીજા સામે પોલીસ ફરિયાદ નોંધાવતા મામલો વધુ ગંભીર બન્યો છે. હાલમાં પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.

school-2

માહિતી મુજબ વાલી પીન્ટુ ભાદ્રેચા શાળાની અંદર વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લગાવવામાં આવેલી લોખંડની જાળી અંગે રજૂઆત કરવા માટે ગયા હતા. વાલીનો આક્ષેપ છે કે શાળામાં લગાવવામાં આવેલી લોખંડની જાળી વિદ્યાર્થીઓને વાગી જવાની શક્યતા છે, તેથી તે અંગે યોગ્ય કાર્યવાહી કરવા તેમણે રજૂઆત કરી હતી. આ દરમિયાન તેમની અને સ્કૂલના ટ્રસ્ટી ઋષિ બુદ્ધદેવ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

ઉગ્ર બનતાં તેમની સાથે મારામારી કરવામાં આવી

વાલી પીન્ટુ ભાદ્રેચાનો આરોપ છે કે રજૂઆત દરમિયાન વાતચીત ઉગ્ર બનતાં તેમની સાથે મારામારી કરવામાં આવી હતી. સાથે જ સ્કૂલના ટ્રસ્ટી ઋષિ બુદ્ધદેવે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે. આ ઘટનાને પગલે પીન્ટુ ભાદ્રેચાએ સ્કૂલના ટ્રસ્ટી ઋષિ બુદ્ધદેવ સામે પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે અને યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ટ્રસ્ટી ઋષિ બુદ્ધદેવે પણ વાલી સામે મારામારીની ફરિયાદ નોંધાવી

બીજી તરફ સ્કૂલના ટ્રસ્ટી ઋષિ બુદ્ધદેવે પણ વાલી સામે મારામારીની ફરિયાદ નોંધાવી છે. ટ્રસ્ટી તરફથી પણ સમગ્ર ઘટનાને લઈને પોતાનો પક્ષ પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. બંને પક્ષે એકબીજા સામે ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો હવે પોલીસ તપાસ હેઠળ આવ્યો છે. પોલીસ બંને પક્ષના નિવેદનો તેમજ અન્ય ઉપલબ્ધ પુરાવાના આધારે ઘટનાની તપાસ કરી રહી છે.

આ ઘટના બાદ ફરી એકવાર શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને વાલીઓ સાથેના સંવાદને લઈને ચર્ચા શરૂ થઈ છે. વાલીઓનું કહેવું છે કે જો વિદ્યાર્થીઓની સુરક્ષા સંબંધિત મુદ્દે રજૂઆત કરવામાં આવે તો તેનો યોગ્ય રીતે ઉકેલ લાવવો જોઈએ. બીજી તરફ શાળા સંચાલનનું પણ કહેવું છે કે કોઈપણ વિવાદ કાયદાકીય અને શાંતિપૂર્ણ રીતે ઉકેલવો જરૂરી છે.

આ પણ વાંચો : અંબાજીમાં બેકાબૂ ઈકો કારની ટક્કરે CNG ટેન્કરચાલકનું મોત, સુરતમાં કારની ટક્કરે રિક્ષા પલટી બે લોકો ઈજાગ્રસ્ત

પોરબંદરની કે.બી. તાજાવાલા સ્કૂલ અગાઉ પણ વિવિધ કારણોસર ચર્ચામાં રહી ચૂકી છે અને હવે ફરી એકવાર આ ઘટનાને કારણે વિવાદમાં આવી છે. લોખંડની જાળી અંગે રજૂઆત કરવા ગયેલા વાલી અને ટ્રસ્ટી વચ્ચે થયેલી મારામારી બાદ બંને પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવી છે. હવે સમગ્ર મામલે પોલીસ તપાસ બાદ હકીકત સામે આવશે અને તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Porbandar School News Parent Complaint KB Tajawala School

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ