પ્રધાનમંત્રી જનધન યોજના પીએમ મોદી મોટે બહું ખાસ અને મહત્વપૂર્ણ યોજનાઓમાંની એક છે. આ યોજના હેઠળ દેશના ગરીબોના ખાતા ફ્રીમાં ખોલવામાં આવે છે. હાલમાં જ નાણા મંત્રાલય હેઠળ નાણાં સેવા વિભાગ (DFS) ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ બેંક ખાતામાં જમા રકમ 1.30 લાખ કરોડ રુપિયાથી વધુ પહોંચ ગઈ છે. જાણો કયા કયા લાખ મળે છે આ ખાતાના ધારકોને. તેમજ આ ખાતાને લગતી એવી માહિતી અહીં વાંચવા મળશે જે તમને પહેલા નહીં જાણતા હોવ.
DFSએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે...
કુલ ખાતાની સંખ્યા 40 લાખ કરોડની પાર થઈ ગઈ છે
બેંક ખાતામાં જમા રકમ 1.30 લાખ કરોડ રુપિયાથી વધુ પહોંચ ગઈ છે
તેમજ કુલ ખાતાની સંખ્યા 40 લાખ કરોડની પાર થઈ ગઈ છે. પરંતુ જો તમે આમાં ખાતુ નથી ખોલ્યુ તો તમે અનેક સુવિધાઓના લાભથી વંચિત રહી જશો. પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલ ખાતામાં કઈ કઈ સુવિધાઓ મળે છે અને ધ્યાન રહે આ ખાતાનો લાભ એ લોકોને જ થશે જેમનું આધાર કાર્ડ ખાતા સાથે લિંક હશે.
આ અકાઉન્ટના ફાયદા
આ ખાતું ફ્રીમાં ખુલે છે અને આમાં મિનિમમ બેલેન્સ રાખવાની જરુર નથી.
તમે નજીકની કોઈ પણ બેંકમાં જનધન ખાતુ ખોલાવી શકો છો. તમારા જુના ખાતાને પણ જનધનમાં ફેરવી શકો છો. જેના માટે તમારે બેંકમાં જઈ ફોર્મ ભરવાનું હોય છે. આ યોજનામાં નવું ખાતું ખોલવા માટે આધાર કાર્ડ અથવા પાસપોર્ટ અથવા ડ્રાઈવિંગ લાઈસન્સ કે પાન કાર્ડ, વોટર કાર્ડ, NREGA જોબ કાર્ડ, ઓથોરિટિ દ્વારા જાહેર કરવામાં આવેલ ખાસ લેટર, ગેજેટેડ ઓફિસર દ્વારા જાહેર કરવામાં આવેલો લેટર જેમાં ખાતુ ખોલવા માટેનો અટેસ્ટેડ ફોટો લાગેલો હોય તેની જરુર પડશે.