બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / PM Modi in Chhattisgarh while talking about caste census said that congress is trying to divide hindus

છત્તીસગઢ / 'હિન્દુઓમાં ભાગલા કરી રહી છે કોંગ્રસ..સંસાધનોમાં પહેલો હક..', જાતિ આધારિત વસ્તી ગણતરી પર PM મોદીનું મોટું નિવેદન

Vaidehi

Last Updated: 04:49 PM, 3 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદીએ છત્તીસગઢમાં એક રેલી દરમિયાન કોંગ્રેસ અને રાજ્યની ભૂપેશ બઘેલ સરકાર પર હુમલો કર્યો. કહ્યું કે કોંગ્રેસ કહે છે જેટલી આબાદી એટલા હક પણ હું કહું છું કે મારા માટે ગરીબ સૌથી મોટી આબાદી છે.

  • PM મોદીએ છત્તીસગઢમાં કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કર્યાં
  • કોંગ્રેસનાં નેતાઓ અને મંત્રીઓ પર પણ સાધ્યું નિશાન
  • કહ્યું કે કોંગ્રેસને દેશમાં કંઈ સારું જ નથી લાગતું

છત્તીસગઢનાં જગદલપુરમાં  PM નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ સરકાર પર જોરદાર પ્રહાર કર્યાં. તેમણે કહ્યું કે આજ સુધી કોંગ્રેસે ખુલાસો નથી કર્યો કે તેમણે એક અન્ય દેશની સાથે શું ગુપ્ત કરાર કર્યો છે. પરંતુ દેશ જોઈ રહ્યું છે. આ કરાર બાદ કોંગ્રેસ દેશોમાં વધારે  ભૂલો કાઢવા લાગી છે. એવું લાગે છે કે તેમને ભારતમાં કંઈ જ સારું નથી લાગતું. હું તમને વિનંતી કરું છું કે કોંગ્રેસ અને તેના સહયોગીઓની આ નવી ચાલમાં આપણે સતર્ક રહેવું જોઈએ. 

શું હિન્દૂઓ તમામ હક લઈ લે?- PM મોદી
PM મોદીએ કહ્યું કે આજકાલ કોંગ્રેસે એક નવો રાગ આલાપવાનું ચાલું કહ્યું છે. તેઓ કહે છે કે જેટલી આબાદી એટલા હક. હું કહું છું કે આ દેશમાં જો સૌથી મોટી કોઈ આબાદી છે તો તે ગરીબ છે. તેથી ગરીબ કલ્યાણ જ મારું સૌથી પહેલું લક્ષ્ય છે. PM મોદીએ કહ્યું કે કોંગ્રેસ અલ્પસંખ્યકોનાં હક માટે બોલી રહી છે.  જો આબાદીનાં હિસાબે નક્કી કરવામાં આવે તો પહેલો હક કોને મળે?  કોની આબાદી સૌથી વધારે છે અને તેને કેટલો હક મળશે. સૌથી વધારે આબાદી હિન્દૂઓની છે તો શું હિન્દૂઓ આગળ વધીને તમામ હકો લઈ લે? PM મોદીએ કહ્યું કે કોંગ્રેસ હિન્દૂઓને વિભાજિત કરી નષ્ટ કરવાનાં પ્રયાસો કરી રહી છે. 

'કોંગ્રેસ સ્ટીલ પ્લાંટ પર કબજો કરવો છે'
PM મોદીએ કહ્યું કે કોંગ્રેસ સરકાર ખોટી વાતો ફેલાવીને સ્ટીલ પ્લાંટ પર કબજો કરવા ઈચ્છે છે અને તેના થકી કમાણી કરવા ઈચ્છે છે. સ્ટીલ પ્લાંટ બસ્તરનાં લોકોનું છે. હું કોઈ પણ કોંગ્રેસ નેતાને આ સ્ટીલ પ્લાંટનો માલિક નહીં બનવા દઉં.

કોંગ્રેસનાં નેતાઓ પર નિશાન
PM મોદીએ જનસંબોધન દરમિયાન કહ્યું કે,' આજે અહીં દેશનાં મોટા અને આધુનિક સ્ટીલ કારખાનાનું લોકાર્પણ થયું છે. આટલો મોટો કાર્યક્રમ થયો છે તેમ છતાં છત્તીસગઢનાં એકપણ મંત્રી, મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી...કોઈ ન આવ્યું. તેમનાં ન આવવા પાછળ 2 કારણો છે. 1. તેમને પોતાની સરકાર છીનવાઈ જવાની એટલી ચિંતા છે કે તેમની પાસે અહીં આવવાનો સમય જ ન બચ્યો. 2. તેમને ખબર છે કે કોઈ ભ્રષ્ટાચારી મોદી સાથે આંખો નથી મળાવી શકતું.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ