બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / PM Kisanનો 24મો હપ્તો અટકી જશે? e-KYC નહીં કરાવનાર ખેડૂતો સાથે શું થશે, જાણો સંપૂર્ણ માહિતી
5 ફોટો ગેલેરી
Last Updated: 04:37 PM, 5 August 2026
1/5
ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi) યોજના દેશની સૌથી ચર્ચિત અને મહત્વકાંક્ષી યોજનાઓમાંથી એક છે. આ યોજના હેઠળ માત્ર પાત્ર ખેડૂતોને જ સરકાર દ્વારા આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. યોજના સાથે જોડાયા બાદ તમામ લાભાર્થી ખેડૂતો માટે e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત બનાવવામાં આવી છે.
2/5
e-KYC કરાવવા માટે સરકાર દ્વારા બે સરળ રીતો ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પ્રથમ રીત ઓનલાઈન છે, જેમાં ખેડૂત પોતે પીએમ કિસાન યોજનાના સત્તાવાર પોર્ટલ pmkisan.gov.in પર જઈને OTP આધારિત e-KYC કરી શકે છે. બીજી રીત ઓફલાઈન છે, જેમાં ખેડૂતોએ પોતાના નજીકના સીએસસી (CSC) સેન્ટર પર જવાનું રહે છે, જ્યાં બાયોમેટ્રિક પદ્ધતિ દ્વારા e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે.
3/5
યોજનામાં e-KYC ની પ્રક્રિયા દાખલ કરવા પાછળનો મુખ્ય હેતુ છેતરપિંડી રોકવાનો અને યોજનાનો આર્થિક લાભ માત્ર સાચા અને યોગ્ય લાભાર્થી સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાનો છે. આ સિવાય, યોજના સાથે જોડાયેલા જે ખેડૂતોનું અવસાન થઈ ચૂક્યું છે, તેમની ઓળખ કરીને સિસ્ટમમાંથી દૂર કરવાનું કામ પણ e-KYC દ્વારા જ શક્ય બને છે.
4/5
5/5
જો કોઈ ખેડૂત સમયસર e-KYC પ્રક્રિયા પૂર્ણ નહીં કરાવે તો તેને યોજનાના હપ્તાનો લાભ મળશે નહીં. આગામી સમયમાં પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો જાહેર થવા જઈ રહ્યો છે, તેથી તમામ લાભાર્થી ખેડૂતો માટે વહેલી તકે e-KYC કરાવી લેવું અત્યંત જરૂરી છે, અન્યથા તેઓ 24મા હપ્તાની રકમ મેળવવાથી વંચિત રહી જશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ