બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
VTV / PM Calls Bengal Governor, Expresses Concern Over Post-Poll Violence
Hiralal
Last Updated: 03:57 PM, 4 May 2021
બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ ચાલી રહેલી રાજકીય હિંસાનું તાંડવ મચ્યું છે. રાજ્યપાલ ધનખડેએ જણાવ્યું કે પ્રધાનમંત્રીએ મને ફોન કરીને હિંસા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીએ રાજ્યની કાયદો અને વ્યવસ્થાની ખરાબ થઈ રહેલી સ્થિતિ અંગે ગંભીર ચિંતા અને નારાજગી વ્યક્ત કરી છે. રાજ્યપાલે પણ ચિંતા દર્શાવી છે અને જણાવ્યું હતું કે રાજ્યમાં તોડફોડ, લૂંટ અને હત્યાઓનો દોર ચાલી રહ્યો છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળવા માટે તાત્કાલિક પગલાં ભરવાની જરુર છે.
PM called & expressed his serious anguish & concern at alarmingly worrisome law & order situation. I share grave concerns, given that violence vandalism, arson, loot & killings continue unabated. Concerned must act in overdrive to restore order: West Bengal Governor
— ANI (@ANI) May 4, 2021
(File photo) pic.twitter.com/OdD91JeaJO
ભાજપનો દાવો 6 કાર્યકરની હત્યા
પશ્ચિમ બંગાલમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યાં બાદ મોટા પાયે હિંસા વકરી છે. ભાજપ અને ટીએમસીના કાર્યકરોની વચ્ચે થયેલી કથિત હિંસામાં ભાજપે તેના 6 કાર્યકરોની હત્યા થઈ હોવાનો દાવો કર્યો છે.સામે પક્ષે ટીએમસીએ પણ તેના્ 3 કાર્યકરોની હત્યા થઈ હોવાનું જણાવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજ્ય સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે.ભાજપ નેતા અને વરિષ્ઠ વકીલ ગૌરવ ભાટિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને બંગાળ હિંસાની સીબીઆઈ તપાસ કરાવવાની માંગ કરી છે.
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા બંગાળની મુલાકાતે
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા બે દિવસના બંગાળના પ્રવાસે પહોંચ્યા છે. નડ્ડાએ કથિત હિંસામા માર્યા ગયેલા ભાજપના કાર્યકર અભિજિત સરકારના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને તેમને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી.
ममता जी की जीत के बाद उनके कार्यकर्ता जश्न मना रहे है और भाजपा कार्यकर्ताओं के घर तोड़ रहे है ।
— Kailash Vijayvargiya (@KailashOnline) May 3, 2021
अब तक 9 से ज़्यादा भाजपा कार्यकर्ताओं की हत्या हो चुकी है । pic.twitter.com/sMDpX4qu61
બંગાળમાં ભાજપ કાર્યકર અભિજિત સરકારની હત્યા,કુલ આઠની હત્યા થઈ હોવાનો દાવો
સત્તાવાર રીતે બંગાળ હિંસામાં 8 લોકોના મોત થયા છે તેમાં કે ભાજપના કાર્યકર અભિજિત સરકાર પણ સામેલ છે. મોત પહેલા અભિજિત સરકારે બે વાર ફેસબુક પર લાઈવ કર્યું હતું તેમાંના એક વીડિયોમાં અભિજિતે કહ્યું કે તેઓ મારી આંખ સામે બોંબ ફેકી રહ્યાં છે અને મારા ઘર તથા ઓફિસની તોડફોડ કરી રહ્યાં છે.મારી ભૂલ ફક્ત એટલી કે હું ભાજપનો કાર્યકર છું.
મારા ગલુડિયાને પણ મારી નાખ્યું
બીજો વીડિયોમાં અભિજિતે કહ્યું હતું તેમણે મારા ઘરને બર્બાદ કરી નાખ્યું અને તે પણ નારકેલદંગા પોલીસ અધિકારીઓની સામે. તેમણે મારા માસૂમ પપીઝને પણ મારી નાખ્યું. શું તેઓ મનુષ્યો છે. તેઓ મારી પર અત્યાચાર શા માટે કરી રહ્યાં છે. આ વીડિયોમાં હોગકોગ ફેશન નામની એક દુકાનમાંથી યુવાનો કપડા લઈને ભાગતા જોઈ શકાતા હતા. તેમાંના કેટલાક લોકોના ચહેરા પર લીલો રંગ જોવા મળતો હતો અને વીડિયો બનાવી રહેલા વ્યક્તિનો અવાજ પણ સંભળાતો હતો કે આ જ થવું જોઈતું હતું... અમે તો માહોલ બનાવી રહ્યાં હતા.
નંદીગ્રામ ભાજપ ઓફિસમાં તોડફોડ
ભાજપે પત્રકારોની સાથે એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં નંદીગ્રામમાં ભાજપની ઓફિસમાં થયેલી તોડફોડમાં દર્શાવાઈ હતી. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અનિલ બલુનીએ જણાવ્યું કે ભાજપના એક કાર્યકરની હત્યા થઈ છે, હત્યા પહેલા પાર્ટી કાર્યકરે ફેસબુક પર લાઈવ કર્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા