બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:12 PM, 2 July 2026
જો આગામી દિવસોમાં બધું બરાબર રહ્યું તો દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ આ અંગે ખૂબ જ સકારાત્મક સંકેતો આપ્યા છે. મંત્રી પુરીએ જણાવ્યું છે કે, જો આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતો આગામી થોડા અઠવાડિયા સુધી નીચલા સ્તરે જળવાઈ રહેશે, તો પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવા અંગે વિચારણા કરવી એકદમ યોગ્ય રહેશે. તેમણે સ્પષ્ટ કર્યું કે વૈશ્વિક સ્તરે કાચા તેલના ભાવ ચોક્કસપણે ઘટ્યા છે, પરંતુ ઓઇલ કંપનીઓ હાલમાં પશ્ચિમ એશિયા સંકટ દરમિયાન ઊંચા ભાવે ખરીદેલા કાચા તેલનું જ પ્રોસેસિંગ કરી રહી છે.
ADVERTISEMENT

કેન્દ્રીય મંત્રીએ વધુમાં એક મહત્વનો આંકડો આપતા જણાવ્યું કે, 30 June સુધીની અવધિમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીને તેની પડતર કિંમત કરતાં ઓછા ભાવે વેચવાના કારણે સરકારી પેટ્રોલિયમ કંપનીઓને અંદાજે 74,781 કરોડ રૂપિયાનું મોટું નુકસાન વેઠવું પડ્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
વાસ્તવમાં, ઓઇલ રિફાઇનિંગ કંપનીઓ ઇંધણના ઉત્પાદન માટે કાચું તેલ સામાન્ય રીતે ઓછામાં ઓછા બે મહિના અગાઉથી ખરીદતી હોય છે. આ ગણિત મુજબ, હાલમાં રિફાઇનરીઓમાં જે કાચા તેલનું પ્રોસેસિંગ થઈ રહ્યું છે, તે મુખ્યત્વે એપ્રિલ અથવા મેની શરૂઆતમાં ખરીદવામાં આવ્યું હતું. તે સમયે પશ્ચિમ એશિયાના તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો ખૂબ જ ઊંચી સપાટી પર હતી. જો કે, હવે રાહતના સમાચાર એ છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે સંઘર્ષ સમાપ્ત કરવા અંગે સહમતિ બન્યા બાદ, જૂનના બીજા પખવાડિયાથી કાચા તેલની કિંમતોમાં સતત ઘટાડો નોંધાવા લાગ્યો છે.
ADVERTISEMENT
પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો થતાં વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતો નરમ પડી છે અને તેના કારણે ભારતમાં પણ ઇંધણના ભાવ ઘટાડવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. આ કડીમાં ગત 1 જૂલાઈના રોજ એવિએશન ફ્યુઅલ અને કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. આ સિવાય, ખાનગી ક્ષેત્રની ઇંધણ રિટેલ કંપની 'નાયરા એનર્જી'એ પણ પોતાના પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડી દીધા છે. છેલ્લા બે વર્ષથી વધુ સમયગાળામાં નાયરા એનર્જી દ્વારા કરવામાં આવેલો આ પ્રથમ ઘટાડો છે.
આ પણ વાંચોઃ નેશનલ / પીએમ મોદીએ જાપાનના પીએમને ગણાવ્યા "નાની બહેન", ફાર્મા-સંરક્ષણ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ કરાર
ADVERTISEMENT
ખાનગી કંપનીના પગલા બાદ હવે સામાન્ય જનતા અને બજારની નજર દેશની સરકારી ઓઇલ કંપનીઓ પર ટકેલી છે. ઇન્ડિયન ઓઇલ (IOC), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) જેવી જાહેર ક્ષેત્રની જાયન્ટ કંપનીઓ પેટ્રોલ-ડીઝલના ભાવ ક્યારે ઘટાડે છે તે જોવું રસપ્રદ રહેશે. નોંધનીય છે કે, દેશના 90 ટકાથી વધુ ઇંધણ બજાર પર આ ત્રણ સરકારી ઓઇલ કંપનીઓનું જ સંપૂર્ણ નિયંત્રણ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.