બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Dinesh
Last Updated: 10:33 PM, 19 December 2022
વડોદરા મહાનગર પાલિકાનો અનેક વખત અંધેર વહીવટ સામે આવે છે ત્યારે ફરી એક વખત એવો તો અણઘડ વહીવટ સામે આવ્યો છે કે જેને સાંભળીને તમે પણ વિચારમાં પડી જશો. 2016માં વડોદરા કોર્પોરેશને ભીમતળાવ વસાહતના મકાન તોડી પાડ્યા હતાત્યારે 7 વર્ષ બાદ મહાનગર પાલિકાએ 400 લોકોને વેરા બિલ મોકલ્યા છે. જેમને પણ વેરા મોકલવામાં આવ્યા છે તે તમામ લોકોએ એકઠા થઈ વિરોધ નોંધાવ્યો. જેથી વડોદરા કોર્પોશનનો અણઘણ વહીવટ ઉજાગર થયો છે. ઘટના સામે આવ્યા બાદ લોકોએ વેરાને લઈ વિરોધ નોંધાવ્યો છે તેમજ વડોદરા મહાનગર પાલિકા સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
VMCના અણઘડ વહીવટથી લોકો પરેશાન
વડોદરા મહાનગર પાલિકાનો અનેક વખત અણઘડ વહીવટ સામે આવ્યો છે..પરંતુ આ વખતે જે ઘટના સામે આવી છે તેને સાંભળીને તમે પણ વિચારમાં પડી જશો. સ્થાનિકો જે વેરા બીલ સાથે વિરોધ કરી રહ્યા છે તે મકાનો વડોદરા મહાનગર પાલિકાએ 7 વર્ષ પહેલા તોડી પાડ્યા છે. તમને થતુ હશે કે આવું કેવી રીતે બને પણ વડોદરા મહાનગર પાલિકાએ આ શક્ય કરી બતાવ્યુ છે. કારણે કે 2016માં વડોદરા કોર્પોરેશને અટલાદરા કલાલી રોડ પર આવેલી ભીમ તળાવ વસાહતને તોડી પાડી હતી. વસાહતમાં રહેતા તમામ લોકોને સર્વોદયનગર અને શાંતિનગરમાં બનેલા સરકારી આવાસ યોજનામાં મકાનો ફાળવી દેવાયા હતા, આટલા વર્ષોથી તમામ રહીશો શાંતિથી જીવન જીવતા હતા પરંતુ અચાનક પાલિકાએ 400 લોકોને વર્ષ 2022-23ના વેરા બીલ બજાવતા લોકોને મોટો આંચકો લાગ્યો છે. 6 વર્ષ બાદ વેરા બિલ જોઈને તમામ પરિવાર ડઘાઈ ગયા છે. જેથી તેમણે ભેગા થઈને વિરોધ નોંધાવ્યો હતો. કોર્પોરેશને ગરિબોને 9 હજાર 20 હજાર અને 30 હજાર જેટલી રકમના વેરા બીલ આપ્યા છે. જેથી લોકોએ કોર્પોરેશન વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો અને કોર્પોરેશન પાસે વેરા બિલ પરત ખેંચે તેવી માંગ પણ કરી છે
અમને અમારા મકાન બતાવે તો અમે આ વેરો ભરી દઈશું: નાગરિકો
અત્યારે એ જગ્યાએ ગાર્ડન છે જ્યાં પહેલા વસાહત હતી. જે તોડીને વડોદરા મહાનગર પાલિકાએ અહીં ગાર્ડન બનાવ્યુ છે. જમાનો હાઈટેક બની ગયો છે જેથી ગુગલમાં પણ અહીં ગાર્ડન જ બતાવે છે. પરંતુ વડોદરા મહાનગર પાલિકાને હજુ પણ અહી વસાહત દેખાય છે. મહત્વની વાત છે કે ખુદ વડોદરા મહાનગર પાલિકાએ જ ભીમ તળાવ વસાહતની જગ્યાએ બગીચો બનાવ્યો છે તો નાગરિકોને વેરા કેવી રીતે આપવામાં આવ્યા. જે જગ્યા લોકો રહેતા નથી તે જગ્યાના વેરા લોકોને બજાવતા લોકોએ વિરોધ કર્યો છે. લોકોનું કહેવું છે કે અમને અમારા મકાન બતાવે તો અમે આ વેરો ભરી દઈશું. જે મકાન છે જ નહીં, વર્ષો પહેલા જમીન દોસ્ત થઈ ગયા તે મકાનનો વેરો કેવી રીતે ભરવો.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનએ તપાસના આદેશ આપ્યા
મહત્વની વાત તો એ છે કે ભીમ તળાવ વસાહતના નાગરિકો હાલમાં જ્યાં સરકારી આવાસ યોજનામાં રહે છે ત્યાંના વેરા બિલ હજી સુધી પાલિકાએ નથી બજાવ્યા, પરંતુ જ્યાં કોર્પોરેશને વસાહત તોડીને બગીચો બનાવી દીધો છે, ત્યાંના વેરા બિલ લોકોને બજાવ્યા છે જેને લઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનએ તપાસના આદેશ આપ્યા છે, સાથે જ જો પાલિકાની ભૂલ હશે તો તેની સુધારાશે તેવું આશ્વાસન પણ આપ્યું છે. તેમજ જે કઈ પણ વિસંગતતા હશે તેને દુર કરવાની ખાતરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે કોર્પોરેશને વેરા વસૂલાત અભિયાન વેંગવતું બનાવ્યું છે, જેમાં અધિકારીઓ આડેધડ લોકોને વેરા બિલ બજાવતા હોવાનું સામે આવી રહ્યુ છે. ઘટના સામે આવ્યા બાદ વડોદરા મહાનગર પાલિકાના વહીવાટદારો પોતાની ભૂલને કારણે હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાયા છે. તેમજ અણઘડ વહીવટને કારણે પ્રજા પરેશાન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime