બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Panchmahal farmer bharat mala project land
ADVERTISEMENT
ભારત સરકાર દ્વારા ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત દિલ્લી-મુંબઇ નેશનલ ગ્રીન કોરિડોર માટે સંપાદન કરવામાં આવેલી જમીનના વળતરની રકમ ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. પંચમહાલના કાલોલ તાલુકાના કાનોડ, ભાટપુરા, ભાદરોલી સહિતના ગામોના 100થી વધારે ખેડૂતોની જમીન સંપાદીત કરવામાં આવી છે.

ADVERTISEMENT
જે ખેડૂતોને વળતરની રકમ મળી નથી. કોરિડોર માટે સંપાદન કરવામાં આવેલી જમીનના વળતરની નોટિસ પણ જમીનના મૂળ માલિકની જગ્યાએ અન્ય ખેડૂતને આપી દેવાઇ છે. જેના કારણે મૂળ જમીન માલિક મુંઝવણમાં મુકાયા છે.
હાઇવે ઓથોરિટી દ્વારા નોટિસમાં વળતરની રકમ પણ ઓછી આકારવામાં આવી છે. જેને લઇને ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યાં છે. ખેડૂતોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ ઠાલવી રહ્યાં છે અને સરકાર પાસે જમીન વળતરની રકમ ઝડપી મળે તેવી માંગ કરી રહ્યાં છે. સ્થાનિક વહીવટી તંત્ર આ મામલે ગંભીરતા દાખવે અને ખેડૂતોને તેમની જમીનનું પુરે પુરૂ વળતર મળે તેવી માગ કરી છે.
ADVERTISEMENT

દિલ્હી - મુંબઈ નેશનલ ગ્રીન કોરિડોર નિર્માણમાં પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ભાદરોલી, કાનોડ, ભાટપુરા ગામના ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી જે ખેડૂતોને આજદિન સુધી જમીન નું વળતર ન મળતા ખેડતો ની હાલત કફોડી બની છે.
ADVERTISEMENT
ભારત સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલા ભારત માલા પ્રોજેકટ અંતર્ગત દિલ્હી - મુંબઈ નેશનલ ગ્રીન કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે. જે માટે પંચમહાલ જિલ્લામાંથી પસાર થતા આ કોરિડોર માટે સંપાદન કરવામાં આવેલ જમીનના વળતરની રકમ ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.