બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોના દર્દનાક મોત, મૃતકોની યાદી જાહેર

પહેલગામ હુમલો / પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોના દર્દનાક મોત, મૃતકોની યાદી જાહેર

Last Updated: 11:11 AM, 23 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pahalgam: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં 26 લોકોના મોત થયા છે, જેમાં ઇઝરાયલ અને ઇટાલીના બે વિદેશી પ્રવાસીઓ પણ સામેલ છે. લગભગ 17 લોકો ઘાયલ થયા છે.

જમ્મુ અને કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ પહેલગામના બૈસરનમાં મંગળવારે બપોરે પર આતંકવાદીઓએ હુમલો કર્યો. આ હુમલામાં 27 લોકોના મોત થયા છે. જોકે, સત્તાવાર રીતે 26 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. લગભગ 17 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં ઇઝરાયલ અને ઇટાલીના બે વિદેશી પ્રવાસીઓ ઉપરાંત દેશના અન્ય રાજ્યોના પ્રવાસીઓ અને સ્થાનિક લોકોનો સમાવેશ થાય છે.

મૃતકોની વિગતો

pahalgam terror attack dead people list

કાશ્મીરના પહેલગામમાં મંગળવારે થયેલા ઘાતક આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહ બુધવારે શ્રીનગર લાવવામાં આવ્યા જ્યાં અધિકારીઓ પોલીસ કંટ્રોલ રૂમમાં પુષ્પાંજલિ અર્પણ કરશે. અધિકારીઓએ જણાવ્યું કે અમને 26 મૃતદેહો મળ્યા છે, જે બુધવારે સવારે શ્રીનગરની સરકારી મેડિકલ કોલેજ (GMC) લાવવામાં આવ્યા. મૃતદેહોને પોલીસ કંટ્રોલ રૂમ (પીસીઆર) લઈ જવામાં આવશે.

ઘાયલોના નામ

pahalgam terror attack injured people list

બુધવારે રાત્રે શ્રીનગર પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બુધવારે પીસીઆર ખાતે મૃતકોને પુષ્પાંજલિ અર્પણ કરશે. મંગળવારે પહેલગામના બૈસરન ઘાટીમાં આતંકવાદીઓએ ઓછામાં ઓછા 26 લોકોની હત્યા કરી દીધી, જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. આ છેલ્લા કેટલાક વર્ષોમાં કાશ્મીરમાં નાગરિકો પર થયેલા સૌથી ભીષણ આતંકવાદી હુમલાઓમાંનો એક છે.

આ પણ વાંચો: હજું તો લગ્નના 2 જ મહિના થયા હતા, આતંકીઓએ પત્ની સામે જ કરી દીધી શુભમની હત્યા

જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે જારી કર્યો હેલ્પલાઇન નંબર

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, જમ્મુ અને કાશ્મીરના માહિતી અને જનસંપર્ક વિભાગે હેલ્પલાઇન નંબરો જારી કર્યા છે. આના દ્વારા, દેશ અને દુનિયાના લોકો પહેલગામમાં ફસાયેલા તેમના પ્રિયજનોની સુખાકારી જાણી શકે છે.

મદદ માટે તમે નીચેના નંબરો પર ફોન કરી શકો છો.

  • ઇમરજન્સી કંટ્રોલ રૂમ- શ્રીનગર: 0194-2457543, 0194-2483651
  • આદિલ ફરીદ, એડીસી શ્રીનગર - 7006058623

અનંતનાગ પોલીસે પણ હેલ્પલાઇન નંબરો જારી કર્યા. પ્રિયજનો વિશે માહિતી મોબાઇલ નંબર 9596777669 અને ફોન નંબર 01932225870 પર મેળવી શકાય છે. આ ઉપરાંત, 9419051940 નંબર પર વોટ્સએપ પણ કરી શકાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jammu Kashmir News Pahalgam Terrorist Attack National News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ