બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, કફ સિરપનો વધુ પડતો ડોઝ અપાતા બે બાળકોની હાલત ગંભીર
Last Updated: 09:46 PM, 13 October 2025
બાળકોને દવાના વધુ ડોઝ આપનાર માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. સીતપુર ગામે વધુ પડતા કફ સિરપના ડોઝ આપતા 2 બાળકોની હાલત ગંભીર થઇ છે. 3 અને 5 વર્ષના બાળકોને ખેંચ અને અનકોન્સીસ જેવા સીમટમ્સ જોવા મળ્યા. બન્ને બાળકોને ચમચી ભરીને દવા આપી દીધા બાદ બન્ને બાળકોની તબિયત લથડવા લાગી હતી.. હાલ બન્ને બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ADVERTISEMENT
મહત્વનું છે કે કફ સિરપ નાના બાળકોમાં ગંભીર આડઅસરો પેદા કરી શકે છે, જેમ કે શ્વાસ ધીમો પડવો, બેભાન થવું, ઊલટી થવી, અથવા ગંભીર કિસ્સાઓમાં મૃત્યુ પણ.અમેરિકન એકેડેમી ઓફ પેડિયાટ્રિક્સ અને ભારતીય આરોગ્ય મંત્રાલયની સલાહ અનુસાર, 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કોઈ પણ OTC સિરપ આપવી જોઈએ નહીં. તેમાં કોડીન જેવા ઓપીઓઇડ હોય છે, જે બાળકો માટે જોખમી છે.
આમાં એન્ટિ-એલર્જિક ઘટકો હોય છે, જે સુસ્તી લાવી શકે છે. પુખ્ત વયના લોકો સુસ્તી, ચક્કર અથવા ઝડપી ધબકારા જેવી સમસ્યાઓનો અનુભવ પણ કરી શકે છે. કેટલીક બાબતો જે ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે તે નીચે મુજબ છે.
ADVERTISEMENT
-બાળકોમાં મોટાભાગની ઉધરસ સ્વયં-મર્યાદિત હોય છે અને દવા વિના પણ દૂર થઈ શકે છે.
-કફ અને શરદીની દવાઓ 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ન આપવી જોઈએ. આ દવાઓ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પણ ન આપવી જોઈએ, અને તેનાથી મોટા બાળકોને સાવધાની અને દેખરેખ હેઠળ આપવી જોઈએ. બહુવિધ દવાઓ પણ ટાળવી જોઈએ.
ADVERTISEMENT
-જો બાળકને ઉધરસ હોય તો યોગ્ય હાઇડ્રેશન અને આરામ આપવો એ પહેલો અભિગમ હોવો જોઈએ.
-બાળકોની દવાઓ સારી ઉત્પાદન તકનીકોનો ઉપયોગ કરીને બનાવવી જોઈએ જ્યાં સેનિટાઇઝેશન પર સંપૂર્ણ ધ્યાન આપવામાં આવે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ બોડેલી નજીક જોજવા ડેમમાંથી ‘ચાર આંખવાળી’ માછલી મળ્યાની વાતે જગાવી ચર્ચા, જાણો શું છે ખાસિયત

ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.