રાજ્યમાં શાળાઓ ઓફલાઇન શરૂ કરવા અંગે આજે થશે ચર્ચા. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળનારી કોર કમિટીની બેઠકમાં ધોરણ 1 થી 9ના વર્ગો શરૂ કરવા અંગે થઈ શકે છે મંથન.
ધોરણ 1 થી 9 ની શાળાઓ ખોલવી કે નહીં તે સંદર્ભે આજે લેવાશે નિર્ણય
રાજ્યમાં કોરોનાં સંક્રમણ ઘટતા લેવાઈ શકે છે નિર્ણય
ગાંધીનગરમાં કોર કમિટિની બેઠક
કોરોનાના કેસમાં છેલ્લા 10-12 દિવસથી ફરી સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જો કે, મૃત્યુના આંકડા સતત ડરાવી રહ્યા છે. પરંતુ સ્થિતિ કાબૂમાં હોવાથી રાજ્ય સરકાર દ્વારા આગામી નજીકના સમયગાળામાં જ ધોરણ 1 થી 9ના ઓફલાઈન વર્ગો શરૂ કરી શકે છે.
ઓફલાઈન વર્ગો શરૂ કરવાને લઈને લેવાઈ શકે છે નિર્ણય
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સાથે આજે ગાંધીનગર ખાતે કોર કમિટિની બેઠક મળવાની છે. જેમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ, વેક્સિન અંગેનું આયોજન તથા કોરોના સંક્રમણ ઘટતા ધોરણ 1 થી 9ના ઓફલાઈન વર્ગો શરૂ અંગે મંથન કરવામાં આવી શકે છે.
કોરોના સંક્રમણ વધતા ફરી બંધ કરાયું હતું
નોંધનીય છે કે,ગ્રામીણ સ્વરાજની ચૂંટણી પૂર્ણ થયાં બાદ રાજ્યમાં કોરોનાના કેસમાં એકાએક ઉછાળો નોંધાયો હતો. જેને લઈને ફરીથી રાજ્યમાં ચાલતી શાળાઓના કેટલાક વર્ગોમાં શિક્ષણ બંધ કરવાનો નિર્ણય કરાયો હતો
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં ફરી કોરોનાએ ઉછાળો માર્યો છે. છેલ્લા 24 કલાકમાં 6,097 કેસ કોરોના પોઝિટિવ આવતા ચિંતાના મોજું ફરી વળ્યું છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 1,985 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 204 કેસ તો રાજકોટ શહેરમાં 237 કેસ, વડોદરા શહેરમાં 1,215 કેસ સામે આવ્યા છે. ગાંધીનગર શહેરમાં 203 કેસ, ભાવનગર શહેરમાં 77 કેસ સામે આવ્યા છે. કોરોના ફેબ્રુઆરીની 15 તારીખ પછી ગુજરાતમાં શાંત પડશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. કોરોનાને લીધે 35 લોકોએ જીવ ખોયો છે. જ્યારે 12,105 દર્દીઓ સાજા થઇ હેમખેમ ઘેર પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 57,521 સુધી પહોંચી ગઈ છે.