બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:48 PM, 3 July 2026
સિંધુ જળ કરારને લઈને ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાનને અત્યંત કડક અને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. તાજેતરના દિવસોમાં પાકિસ્તાની નેતાઓ અને ત્યાંની સેના દ્વારા આ કરારને લઈને અનેક ઉશ્કેરણીજનક નિવેદનો આપવામાં આવ્યા હતા, જેનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે બે ટૂક શબ્દોમાં સાફ કરી દીધું છે કે જ્યાં સુધી સરહદ પારથી ચાલતો આતંકવાદ સંપૂર્ણપણે નાબૂદ નહીં થાય, ત્યાં સુધી સિંધુ જળ કરાર સંબંધિત કોઈ વાતચીત કે તેને સામાન્ય સ્થિતિમાં લાવવાની પ્રક્રિયા આગળ વધારવામાં આવશે નહીં. ભારતે પુનરોચ્ચાર કર્યો છે કે આતંકવાદ અને ચર્ચા બંને એક સાથે ક્યારેય ન ચાલી શકે અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં.
ADVERTISEMENT
#WATCH | Delhi: On the strikes in Afghanistan, MEA Spokesperson Randhir Jaiswal says, "We have strongly condemned the airstrikes that happened from Pakistan into Afghanistan... We had offered our condolences on the passing of precious lives, and we had also reiterated strong… pic.twitter.com/1XnDw85Hrq
— ANI (@ANI) July 3, 2026
ADVERTISEMENT
બીઆરઆઈ પ્રોજેક્ટ હેઠળ ચીન-મ્યાનમાર-બાંગ્લાદેશ કોરિડોર સાથે જોડાયેલા ચીની પ્રસ્તાવ પર પણ ભારતીય વિદેશ મંત્રાલયે કડક વલણ અપનાવ્યું છે. વિદેશ મંત્રાલયે પોતાની સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગમાં સ્પષ્ટ કર્યું છે કે ભારત આ ક્ષેત્રમાં થતી તમામ વ્યૂહાત્મક અને રાજદ્વારી ગતિવિધિઓ પર સતત પેની નજર રાખે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમે આવા તમામ મુદ્દાઓ અને ઘટનાક્રમો પર સતત નજર રાખીએ છીએ. જ્યારે પણ અને જ્યાં પણ અમને અમારા રાષ્ટ્રીય હિતો અને સુરક્ષાના રક્ષણ માટે જરૂરી જણાશે, અમે કોઈ પણ વિલંબ વિના યોગ્ય પગલાં ઉઠાવીશું.”
#WATCH | Delhi: On the Indus Water Treaty (IWT), MEA Spokesperson Randhir Jaiswal says, "... India's position on the Indus Water Treaty is consistent. The IWT stands in abeyance in response to Pakistan's continued sponsorship of cross-border terrorism. Pakistan must credibly and… pic.twitter.com/ah8dDqwFju
— ANI (@ANI) July 3, 2026
ADVERTISEMENT
વિદેશ મંત્રાલયે અફઘાનિસ્તાનની સરહદી વિસ્તારોમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી એરસ્ટ્રાઈક (હવાઈ હુમલા) ની કડક શબ્દોમાં નિંદા કરી છે. રણધીર જાયસવાલે કહ્યું કે ભારત આ સૈન્ય હુમલાને સંપૂર્ણપણે નકારે છે, જેમાં મહિલાઓ અને બાળકો સહિત અનેક નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. ભારતે માર્યા ગયેલા નાગરિકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા સાફ કર્યું છે કે તે કાબુલ (અફઘાનિસ્તાન) ની સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડિતતાનું સંપૂર્ણ સમર્થન કરે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ સાથે જ ભારતે સંકટગ્રસ્ત અફઘાન જનતા માટે પોતાની માનવીય સહાય અને વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા પણ દોહરાવી છે. આ તીખું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બંને પડોશી દેશો વચ્ચે તણાવ ચરમસીમા પર છે. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 28 નાગરિકોના મોત થયા છે અને 49 લોકો ઘાયલ થયા છે. આના જવાબમાં તાલિબાન સરકારે પણ પાકિસ્તાની સરહદમાં જવાબી હુમલા કર્યાનો દાવો કર્યો છે, જ્યારે ઇસ્લામાબાદે બલૂચિસ્તાનમાં 4 અફઘાની ડ્રોન તોડી પાડ્યા હોવાની વાત કહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.