બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પાકિસ્તાનને ભારતની ચેતવણી: આતંકના ખાતમા સુધી સિંધુ જળ કરાર પર કોઈ વાત નહીં

નેશનલ / પાકિસ્તાનને ભારતની ચેતવણી: આતંકના ખાતમા સુધી સિંધુ જળ કરાર પર કોઈ વાત નહીં

Pravin Joshi

Last Updated: 06:48 PM, 3 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનની ઉશ્કેરણીજનક નિવેદનબાજી પર ભારતીય વિદેશ મંત્રાલયે (MEA) અત્યંત કડક વલણ અપનાવ્યું છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી સરહદ પારથી ચાલતો આતંકવાદ સંપૂર્ણપણે બંધ નહીં થાય, ત્યાં સુધી સિંધુ જળ કરાર પર કોઈ ચર્ચા કે બહાલી શક્ય નથી.

સિંધુ જળ કરારને લઈને ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાનને અત્યંત કડક અને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. તાજેતરના દિવસોમાં પાકિસ્તાની નેતાઓ અને ત્યાંની સેના દ્વારા આ કરારને લઈને અનેક ઉશ્કેરણીજનક નિવેદનો આપવામાં આવ્યા હતા, જેનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે બે ટૂક શબ્દોમાં સાફ કરી દીધું છે કે જ્યાં સુધી સરહદ પારથી ચાલતો આતંકવાદ સંપૂર્ણપણે નાબૂદ નહીં થાય, ત્યાં સુધી સિંધુ જળ કરાર સંબંધિત કોઈ વાતચીત કે તેને સામાન્ય સ્થિતિમાં લાવવાની પ્રક્રિયા આગળ વધારવામાં આવશે નહીં. ભારતે પુનરોચ્ચાર કર્યો છે કે આતંકવાદ અને ચર્ચા બંને એક સાથે ક્યારેય ન ચાલી શકે અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં.

ચીન-મ્યાનમાર-બાંગ્લાદેશ કોરિડોર પર કડક વલણ

બીઆરઆઈ પ્રોજેક્ટ હેઠળ ચીન-મ્યાનમાર-બાંગ્લાદેશ કોરિડોર સાથે જોડાયેલા ચીની પ્રસ્તાવ પર પણ ભારતીય વિદેશ મંત્રાલયે કડક વલણ અપનાવ્યું છે. વિદેશ મંત્રાલયે પોતાની સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગમાં સ્પષ્ટ કર્યું છે કે ભારત આ ક્ષેત્રમાં થતી તમામ વ્યૂહાત્મક અને રાજદ્વારી ગતિવિધિઓ પર સતત પેની નજર રાખે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમે આવા તમામ મુદ્દાઓ અને ઘટનાક્રમો પર સતત નજર રાખીએ છીએ. જ્યારે પણ અને જ્યાં પણ અમને અમારા રાષ્ટ્રીય હિતો અને સુરક્ષાના રક્ષણ માટે જરૂરી જણાશે, અમે કોઈ પણ વિલંબ વિના યોગ્ય પગલાં ઉઠાવીશું.”

પાકિસ્તાની એર-સ્ટ્રાઈકની ટીકા

વિદેશ મંત્રાલયે અફઘાનિસ્તાનની સરહદી વિસ્તારોમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી એરસ્ટ્રાઈક (હવાઈ હુમલા) ની કડક શબ્દોમાં નિંદા કરી છે. રણધીર જાયસવાલે કહ્યું કે ભારત આ સૈન્ય હુમલાને સંપૂર્ણપણે નકારે છે, જેમાં મહિલાઓ અને બાળકો સહિત અનેક નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. ભારતે માર્યા ગયેલા નાગરિકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા સાફ કર્યું છે કે તે કાબુલ (અફઘાનિસ્તાન) ની સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડિતતાનું સંપૂર્ણ સમર્થન કરે છે.

વધુ વાંચો: પંજાબ કોંગ્રેસમાં મોટી હલચલ, અમિત શાહને મળવા દિલ્હી પહોંચ્યા કોંગ્રેસી સાંસદ સુખજિંદર સિંહ રંધાવા

આ સાથે જ ભારતે સંકટગ્રસ્ત અફઘાન જનતા માટે પોતાની માનવીય સહાય અને વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા પણ દોહરાવી છે. આ તીખું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બંને પડોશી દેશો વચ્ચે તણાવ ચરમસીમા પર છે. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 28 નાગરિકોના મોત થયા છે અને 49 લોકો ઘાયલ થયા છે. આના જવાબમાં તાલિબાન સરકારે પણ પાકિસ્તાની સરહદમાં જવાબી હુમલા કર્યાનો દાવો કર્યો છે, જ્યારે ઇસ્લામાબાદે બલૂચિસ્તાનમાં 4 અફઘાની ડ્રોન તોડી પાડ્યા હોવાની વાત કહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

MEA IndiaVsPakistan RandhirJaiswal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ