બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગીર સોમનાથમાં NHAIની મનમાની! 63 કિલોમીટરના અંતરમાં બનાવ્યા 3 ટોલબૂથ
Last Updated: 10:27 PM, 5 November 2024
ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ ભાવનગર નેશનલ હાઇવે પર 60 કિલોમીટરનાં અંતરે ત્રણ ટોલનાકા શરૂ થયા છે.એક વેરાવળ નજીક ડારી બીજું પણ વેરાવળ નજીકનું સુંદરપરા અને ત્રીજું કોડીનાર નજીક વેળવા પાસે ટોલનાકુ બન્યું અને ટોલ ઉઘરાવવાનું શરૂ પણ કરી દીધું. !! હજુ હાઇવેનું કામ પણ અધૂરું છે.ત્યાં જ મસમોટો ટોલ ઉઘરાવવાનું શરૂ કરી દેવાતા પ્રવાસીઓ અને સ્થાનિકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે.થોડા સમય પહેલા કેન્દ્રીય વાહન વ્યવહાર અને રોડ મંત્રી નીતિન ગડકરીએ સંસદમાં કહ્યું હતું.'60 કિલોમીટર પછીજ બીજું ટોલનાકુ હશે.સ્થાનિકોને રાહત મળશે.' પરંતુ ટોલ સંચાલકો દ્વારા આ બાબતની અવગણના થતી હોવાની લોકોમાં ચર્ચા જાગી છે.
ADVERTISEMENT
વર્તમાન સમયમાં ગીરમાં શરૂ થયેલા ટોલ સંદર્ભે લોકો કહી રહ્યા છે કે, 'નેશનલ હાઇવે ઓથોરિટી સરકારનું પણ માનતી ન હોય તેવું લાગી રહ્યું છે. અને મનસ્વી રીતે ટોલ ઉઘરાવાઈ રહ્યો છે જેને કારણે સ્થાનિકોમાં અને પ્રવાસીઓમાં રોષ વ્યાપ્યો છે. તો સોમનાથ થી દિવ જતા કે ભાવનગરથી દ્વારકા જતા પ્રવાસીઓને ખૂબ ટૂંકા અંતરે આવેલા ગીરનાં આ ત્રણેય ટોલનાકે અઢળક ટોલ ભરવો પડે છે.જેની સામે રોડ તો હજુ અધુરો છે.સુવિધાના નામે મીંડું છે.આમ છતાં જે ટોલ ઉઘરાવાઈ રહ્યો છે તે ન્યાયિક બાબત નહીં હોવાનું પ્રવાસીઓ જણાવી રહ્યા છે.
ADVERTISEMENT
ગીર સોમનાથ જિલ્લામાં માત્ર 63 કિલોમીટરમાં ત્રણ ટોલનાકા શરૂ કરી ટોલ ઉઘરાવવામાં આવી રહ્યો છે તે ગેરકાયદે હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ટોલબુથ થી માત્ર 200 મીટરના અંતરે રહેતા ગામના લોકો ને પણ ટોલ ભરવો પડે અને તે પણ એક દિવસમાં ત્રણથી ચાર વખત તો સ્વાભાવિક છે આકરૂ તો લાગે. જિલ્લા મથકે પોતાના કામ સંદર્ભે વિવિધ કચેરીઓમાં જવાનું થાય ત્યારે એક દિવસમાં ઘણી વખત ગ્રામ્ય પ્રજાએ જવું પડતું હોય છે.ઘરની ગાડી હોય તેનો મતલબ એ તો નથી કે એકજ દિવસમાં વારંવાર ટોલ ભરવો...!
વધુ વાંચોઃ સુરતના મહુવામાં મોટી દુર્ઘટના, અંબિકા નદીમાં ન્હાવા પડેલા બે યુવકના મોત
સ્થાનિકો માટે માસિક પાસની વ્યવસ્થા પણ હજુ અહીંના ટોલનાકાઓ પર શરૂ કરી નથી. રોડ અધૂરા છે.અનેક ડાઈવર્ઝન પણ હજુ છે. હાઈવેની કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે.આમ છતાં ઝડપ થી ટોલનાકાઓ ઉભા કરીને ટોલ ઉઘરાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે તેનાથી સ્થાનિક પ્રજા અને પ્રવાસીઓમાં પણ નારાજગી પ્રવર્તે છે.જે ઝડપે ટોલનાકા ઉભા કરવામાં આવ્યા તે ઝડપ હાઈવે ઓથોરિટી રોડ બનાવવામાં કેમ નથી દર્શાવતી...? તે યક્ષ પ્રશ્ન બન્યો છે. લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, 'આ સંદર્ભે હવે સરકારે જાગૃત થવું રહ્યું અન્યથા હાઇવે ઓથોરિટીના કર્મનું ફળ સરકારે ભોગવવું પડશે...!
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.