ટીમ ઇન્ડીયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ચાર ટેસ્ટ મેચની સીરીઝની ત્રીજી અને ચોથી મેચ માટે ટીમ ઇન્ડિયાએ ટીમનું એલાન કરી દીધું છે. સીરીઝની છેલ્લી બે મેચ માટે ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઈજાગ્રસ્ત હાર્દિક પંડ્યા ટીમમાં સામેલ નથી પરંતુ તેમના સ્થાને કોઈ અન્ય ખેલાડીને ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી.
આ સીરીઝમાં બંને ટીમો 1-1 ની બરાબરી પર છે. ઓસ્ટ્રેલિયાએ પુણેમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ 333 રનથી જીતી હતી જયારે ભારતે બેંગ્લોરમાં 75 રનની જીત સાથે બરાબરી કરી લીધી હતી. ત્રીજી ટેસ્ટ મેચ રાંચીમાં 16 માર્ચે રમાશે જયારે ચોથી ટેસ્ટ મેચ ધર્મશાળામાં 25 માર્ચથી રમાશે. ઉલ્લેખનીય છે કે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની સીરીઝની બીજી ટેસ્ટ મેચ બેંગ્લોરમાં રમાઈ હતી.