બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ શરૂ થશે. પૂણેમાં ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં માત્ર ત્રણ જ દિવસમાં ભારત હારી ગયું હતુ. આ સાથે ઘરઆંગણે સળંગ 20 અને ઓવરઓલ 19 ટેસ્ટમાં અજેય રહેવાના ભારતના ગૌરવપૂર્ણ રેકોર્ડનો શરમજનક અંત આવી ગયો હતો.
જોકે બેંગ્લોરના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આજથી શરૂ થઈ રહેલી શ્રેણીની બીજી ટેસ્ટમાં ભારતીય ટીમ જીત મેળવવા માટે સજ્જ છે. ભારતીય ટીમના કોચ કુમ્બલેએ ભારે આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતુ કે બેંગ્લોર ટેસ્ટથી અમે નવી વિજયકૂચનો પ્રારંભ કરીશું.
બેંગ્લોર ટેસ્ટથી નવી વિજયકૂચનો પ્રારંભ કરીશું : કુમ્બલેનો હુંકાર
પૂણેમાં ટીમની નિષ્ફળતાને લીધે હાર્યા હવે ભૂલ સુધારીશું
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ શરૂ થશે