પાકિસ્તાન ક્રિકેટર શાહિદ આફ્રીદીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા ફ્રિલાન્સ ક્રિકેટર બનવાની ઇચ્છા દર્શાવી પાકિસ્તાનનાં ઓલરાઉન્ડર ક્રિકેટર શાહિદ આફ્રીદીએ રવિવારનાં રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લેવાની ઘોષણા કરીને પ્રશંસકોને ચોંકાવી દીધા છે. સંન્યાસ બાદ તેનું 21 વર્ષનું આંતરરાષ્ટ્રીય
ક્રિકેટનું શાનદાર અને કયારેક-કયારેક વિવાદાસ્પદ કરિયર સમાપ્ત થઇ ગયું છે.
આફ્રીદીએ પહેલા જ એવા સંકેત આપી દીધા હતા કે તેનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયર લગભગ સમાપ્ત થઇ ગયુ છે. તેણે જણાવ્યું હતું કે તે હવે ફ્રિલાન્સ ક્રિકેટર બનવા ઇચ્છે છે અને દુનિયાભરની લીગમાં રમવાની તેની ઇચ્છા છે. 36 વર્ષિય ક્રિકેટર શાહિદ આફ્રીદી પહેલા જ ટેસ્ટ અને વન ડે ક્રિકેટને અલવિદા કહી ચૂકયો છે.
જો કે વર્ષ 2016માં ભારતમાં થયેલ ટી-20 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આફ્રીદી પાકિસ્તાન ટી-20 ટીમનો કેપ્ટન રહી ચૂકયો છે. ટૂર્નામેન્ટ બાદ શાહિદ આફ્રીદી કેપ્ટન પદેથી હટી ગયો હતો પરંતુ તેણે એક ખેલાડી
તરીકે ક્રિકેટમાં પોતાના કરિયરને વિરામ આપ્યો ન હતો.