બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ભારત / New rule/If the flight is late, you can get out of the plane, but will you get a refund

નવો નિયમ / ફ્લાઈટ લેટ પડે તો વિમાનમાંથી નીકળી શકાશે બહાર, પણ શું રિફંડ મળશે ?

Vishal Dave

Last Updated: 04:43 PM, 11 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતની બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટીએ ફ્લાઈટ સંંબંધિત કેટલાક નિયમો બહાર પાડ્યા છે. જેમાં લેટ પડવા પર હવે મુસાફરોએ વિમાનમાં જ બેસીને રાહ નહીં જોવી પડે, તે બહાર પણ નિકળી શકશે.

કેટલીયવાર કેટલાક કારણોસર ફ્લાઈટ્સના સંચાલનમાં મોડું થઈ જતુ હોય છે. તેના કારણે ફ્લાઈટ રદ પણ થતી હોય છે. ફ્લાઈટ્સ રદ કે મોડી પડવાના કારણે યાત્રીઓને હાંલાકી ભોગવવી પડતી હોય છે. ફ્લાઈટ્સ ચાલવાના મામલામાં અમેરિકા અને ચીન બાદ ભારતનો નંબર આવે છે. ત્યારે અનેક ફ્લાઈટ્સ લેટ પડે છે એવામાં તેના સંબંધીત નિયમો તમારે જાણવા જરૂરી છે.

ફ્લાઈટ લેટ પડવા પર પેસેન્જર્સ ફ્લાઈટમાંથી બહાર પણ આવી શકે છે,

ભારતમાં નાગર વિમાન મંત્રાલય ફ્લાઈટ્સ સંબંધીત નિયમો બનાવે છે. નાગરિક વિમાન મંત્રાલયમાં આવતી બ્યૂરો ઓફ સિવિલ એવિએશને હાલમાં કેટલાક નિયમો જાહેર કર્યા છે. જેમાં ફ્લાઈટ લેટ પડવા પર પેસેન્જર્સ ફ્લાઈટમાંથી બહાર પણ આવી શકે છે, તે નિયમ સામેલ છે.

કેટલાક કારણોસર બોર્ડિંગ બાદ પણ ફ્લાઈટ લેટ પડે છે

ઉલ્લેખનીય છે કે, ઐરપોર્ટમાં ચેક ઈન કર્યા બાદ બોર્ડિંગ કરી દેવામાં આવે છે. પરંતુ કેટલાક કારણોસર બોર્ડિંગ બાદ પણ ફ્લાઈટ લેટ પડે છે, ત્યારે આવી સ્થિતિમાં યાત્રીઓએ વિમાનમાં બેસીને જ રાહ નહીં જોવી પડે. તેઓ વિમાનમાંથી બહાર પણ નીકળી શકશે.

બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ફ્લાઈટ લેટ પડવા પર વિમાનમાંથી બહાર નીકળી એગ્ઝિટ ગેટથી બહાર પણ નીકળી શકાશે. વિમાનમાંથી બહાર આવવાનો ટાઈમ ડ્યૂરેશન જે તે એરલાઈન્સ અને ઐરપોર્ટ સિક્યોરિટી ડીસાઈડ કરશે.

આ પણ વાંચોઃ ED બાદ હવે CBIએ કે. કવિતાની ધરપકડ કરી, તિહાર જેલમાં પૂછપરછ બાદ એક્શન

 

ફ્લાઈટ લેટ પડવા પર જો યાત્રીઓ બહાર નીકળી જાય તો તેમને રિફંડ આપવામાં આવશે કે નહી ?

આપને જણાવી દઈયે કે, ફ્લાઈટ લેટ પડવા પર જો યાત્રીઓ બહાર નીકળી જાય તો તેમને રિફંડ આપવામાં આવશે કે નહી ? તે અંગે બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટીએ કોઈ સ્પષ્ટતા નથી કરી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ