બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Hiralal
Last Updated: 03:03 PM, 11 April 2024
CBIએ દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં બીઆરએસ નેતા કે.કવિતાની ધરપકડ કરી છે. કવિતા હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે અને તિહાર જેલમાં બંધ છે. કવિતાની સીબીઆઇએ જેલમાં પૂછપરછ કરી હતી. કવિતાની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા 15 માર્ચે કથિત કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઇએ ઇડી અને સીબીઆઇ કેસ માટે વિશેષ જજ કાવેરી બાવેજા (રાઉઝ એવન્યુ કોર્ટ)ને જણાવ્યું હતું કે કોર્ટના આદેશ બાદ તેણે 6 એપ્રિલે ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) કવિતાની પૂછપરછ કરી હતી.
વધુ વાંચો : ભારતના સ્માર્ટફોનમાં આવ્યો ખતરનાક 'વાયરસ', ચોરી લેશે માહિતી, એપલે આપી મોટી ચેતવણી
જ્યુડિશિયલ કસ્ટડી 23 એપ્રિલ સુધી લંબાવાઈ
આ પહેલા મંગળવારે રાઉઝ એવન્યુ કોર્ટે બીઆરએસ નેતા કે કવિતાની ન્યાયિક કસ્ટડી 23 એપ્રિલ સુધી વધારી દીધી હતી. કવિતાએ કહ્યું કે આ કેસ માત્ર નિવેદનો પર આધારિત છે. આ કેસ સંપૂર્ણપણે વાહિયાત અને રાજકીય રીતે પ્રેરિત છે. વિપક્ષી નેતાઓને નિશાન બનાવવા માટે છે. સીબીઆઈએ આ કેસમાં મારું નિવેદન નોંધી લીધું છે. સીબીઆઈએ જેલમાં મારા નિવેદનો નોંધ્યા છે.
કવિતા પર આમ આદમી પાર્ટીને 100 કરોડની લાંચ આપવાનો આરોપ
કવિતા પર આરોપ છે કે તે સાઉથ ગ્રુપની મુખ્ય સભ્ય છે, જેણે દિલ્હીમાં દારૂના લાયસન્સનો મોટો હિસ્સો આપવાના બદલામાં આમ આદમી પાર્ટીને કથિત રીતે 100 કરોડ રૂપિયાની લાંચ આપી હતી.
તિહાર જેલમાં સીએમ કેજરીવાલ, મનીષ સિસોદિયા
આ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા હાલ તિહાડ જેલમાં બંધ છે. કેજરીવાલ 15 એપ્રિલ સુધી કસ્ટડીમાં છે. કેજરીવાલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં જેલમાં બંધ દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા જેલ નંબર વનમાં બંધ છે. આ કેસમાં આપના સાંસદ સંજય સિંહની પણ ધરપકડ કરવામાં આવી હતી. જો કે તેને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. તે જેલની બહાર છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime