બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / "જે નીચે પડ્યા છે તેમને ઉઠાવવા પડશે" UGC માર્ગદર્શિકા પર મોહન ભાગવતનું મોટું નિવેદન

નેશનલ / "જે નીચે પડ્યા છે તેમને ઉઠાવવા પડશે" UGC માર્ગદર્શિકા પર મોહન ભાગવતનું મોટું નિવેદન

Published By: Priykant Shrimali

Last Updated: 07:04 AM, 18 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mohan Bhagwat : UGC માર્ગદર્શિકા અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ભાગવતે જણાવ્યું કે, દરેક નાગરિકે કાયદાનું પાલન કરવું જરૂરી છે. જો કોઈ કાયદો યોગ્ય ન લાગતો હોય તો તેને બદલવા માટે લોકશાહી પદ્ધતિ ઉપલબ્ધ છે

Mohan Bhagwat : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (Rashtriya Swayamsevak Sangh) ના સરસંઘચાલક મોહન ભાગવતે UGC માર્ગદર્શિકા અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે પોતાનું મંતવ્ય જાહેર કર્યું છે. વાસ્તવમાં લખનૌના નિરાલા નગર વિસ્તારમાં સ્થિત સરસ્વતી શિશુ મંદિરમાં આયોજિત સામાજિક સંવાદિતા સભામાં સંબોધન કરતા તેમણે કાયદા અને સામાજિક સમરસતા પર ભાર મૂક્યો.

UGC માર્ગદર્શિકા અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ભાગવતે જણાવ્યું કે, દરેક નાગરિકે કાયદાનું પાલન કરવું જરૂરી છે. જો કોઈ કાયદો યોગ્ય ન લાગતો હોય તો તેને બદલવા માટે લોકશાહી પદ્ધતિ ઉપલબ્ધ છે. તેમણે ઉમેર્યું કે આ મુદ્દે અલગ-અલગ પક્ષોની પોતાની દૃષ્ટિ હોઈ શકે છે, પરંતુ સમાજમાં વિવાદ વધે તે યોગ્ય નથી.

“જે નીચે પડ્યા છે તેમને ઉઠાવવા પડશે”

ભાગવતે પોતાના ભાષણ દરમિયાન સામાજિક સમરસતાની વાત કરતા કહ્યું કે, સમાજમાં જે લોકો પાછળ રહી ગયા છે તેમને આગળ લાવવા સૌએ પ્રયાસ કરવો જોઈએ. તેમણે જણાવ્યું કે જાતિ કે અન્ય કોઈ કારણ સમાજમાં સંઘર્ષનું કારણ ન બનવું જોઈએ. દુનિયા ઝઘડાથી નહીં, પણ પરસ્પર સંકલન અને સહકારથી આગળ વધે છે. તેમણે કહ્યું કે દરેક વ્યક્તિ પ્રત્યે પોતાના જેવા સ્નેહ અને લાગણી હોવી જોઈએ. જો સમાજમાં પરસ્પર વિશ્વાસ મજબૂત બનશે તો ઘણી ગેરસમજો આપોઆપ દૂર થઈ જશે.

“ભારત વિશ્વને દિશા આપશે”

મોહન ભાગવતે વિશ્વ પરિસ્થિતિ અંગે પણ વિચાર વ્યક્ત કર્યો. તેમના મતે, ભારત પાસે એવી સંસ્કૃતિ અને મૂલ્યો છે જે વૈશ્વિક સમસ્યાઓના ઉકેલમાં માર્ગદર્શન આપી શકે છે. તેમણે સ્થાનિક સ્તરે સામાજિક સંવાદિતા માટે નિયમિત બેઠકો યોજવાની અપીલ કરી, જેથી લોકો એકબીજાને સમજી શકે અને ગેરસમજ દૂર થાય. સાથે જ તેમણે ચેતવણી આપી કે આંતરરાષ્ટ્રીય સ્તરે કેટલાક તત્વો ભારતની એકતાને નુકસાન પહોંચાડવા પ્રયાસ કરી શકે છે, તેથી સતર્ક રહેવું જરૂરી છે.

આ પણ વાંચો : મેક્રોનની ભારત યાત્રા : ભારત-ફ્રાન્સ વચ્ચેના 21 મહત્વના કરારો પર મંજૂરીની મહોર

વસ્તી અને સામાજિક મુદ્દાઓ પર ચિંતા

ભાગવતે હિન્દુ સમાજની ઘટતી વસ્તી અંગે ચિંતા વ્યક્ત કરી. તેમના અનુસાર, સમાજને મજબૂત બનાવવા પરિવારોમાં જાગૃતિ આવવી જોઈએ. તેમણે ધર્માંતરણ અને ઘૂસણખોરી જેવા મુદ્દાઓ પર પણ ધ્યાન દોર્યું અને કાયદાકીય પગલાં જરૂરી હોવાનું કહ્યું. તેમણે પરિવાર વ્યવસ્થાને મજબૂત બનાવવાની અને નવદંપતિઓને સમાજ પ્રત્યે જવાબદારી સમજાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

UGC guidelines Social Harmony Mohan Bhagwat

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ