બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:05 PM, 4 August 2025
Pahalgam Attack : પહેલગામ હુમલાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં પ્રવાસીઓના હત્યાકાંડથી દેશ આખો હચમચી ઉઠ્યો હતો. જોકે હવે આ કેસમાં ઝીણવટભરી તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. વિગતો મુજબ ભારતીય સેના દ્વારા આ હુમલામાં સામેલ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ તરફ 'ઓપરેશન મહાદેવ' હેઠળ માર્યા ગયેલા આ આતંકવાદીઓની ઓળખ અને તેમના નેટવર્કના સ્તરો હવે સંપૂર્ણપણે જાહેર થઈ ગયા છે. આ હુમલાનું કાવતરું સંપૂર્ણપણે પાકિસ્તાનમાં ઘડવામાં આવ્યું હતું અને લશ્કર-એ-તૈયબા અને પાકિસ્તાની સરકારી એજન્સીઓની સીધી સંડોવણી સામે આવી છે.
ADVERTISEMENT
ઝીણવટભરી તપાસમાં મોટો ઘટસ્ફોટ
પહેલગામ હુમલામાં સામેલ ત્રણ આતંકવાદીઓ સુલેમાન શાહ ઉર્ફે ફૈઝલ જટ્ટ, અબુ હમઝા ઉર્ફે અફઘાન અને યાસીર ઉર્ફે જિબ્રાન હતા, જેઓ પાકિસ્તાનના રહેવાસી હતા અને લશ્કર-એ-તૈયબાના A++ અને A શ્રેણીના કમાન્ડર હતા. આ તરફ હવે સામે આવ્યું છે કે, આ આતંકવાદીઓ ન તો સ્થાનિક કાશ્મીરી હતા અને ન તો તેઓ તાજેતરમાં ભરતી કરાયેલા આતંકવાદીઓમાં સામેલ હતા.
ADVERTISEMENT
હવે જાણીએ આતંકીઓ ભારતમાં ક્યારે અને કઈ રીતે ઘૂસ્યા?
ભારતીય ગુપ્તચર એજન્સીઓ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ત્રણ આતંકવાદીઓ મે 2022 માં ગુરેઝ સેક્ટરથી નિયંત્રણ રેખા પાર કરીને ખીણમાં પ્રવેશ્યા હતા. ત્યારથી તેમના રેડિયો સિગ્નલો અટકાવવામાં આવી રહ્યા હતા. જોકે આ આતંકવાદીઓ તે સમયે પહેલગામ નજીક એક ઝૂંપડીમાં છુપાઈ ગયા હતા. અહીં સ્થાનિક મદદગારો પરવેઝ અને બશીર અહેમદ જઠારે તેમને આશ્રય આપ્યો હતો.
ADVERTISEMENT

પાકિસ્તાની ચોકલેટથી ખૂલ્યું રહસ્ય
ADVERTISEMENT
આ તરફ તાજેતરમાં 28 જુલાઈના રોજ ઓપરેશન મહાદેવ હેઠળ જ્યારે ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા ત્યારે તેમની પાસેથી ઘણા મહત્વપૂર્ણ પુરાવા મળી આવ્યા હતા. આમાંથી બે આતંકવાદીઓ પાકિસ્તાની મતદાર ઓળખ કાર્ડ ધરાવતા મળી આવ્યા હતા, જે લાહોર અને ગુજરાંવાલાથી જાહેર કરવામાં આવ્યા હતા. આ સાથે એક સેટેલાઇટ ફોનમાંથી એક માઇક્રો-એસડી કાર્ડ મળી આવ્યું હતું જેમાં NADRAનો બાયોમેટ્રિક ડેટા હતો. આ ડેટાથી આ આતંકવાદીઓની નાગરિકતા, કાસુર જિલ્લામાં તેમના કાયમી સરનામા અને PoKની પુષ્ટિ થઈ હતી. આતંકવાદીઓ પાસેથી પાકિસ્તાનમાં બનેલી ચોકલેટ અને અન્ય ખાદ્ય ચીજો પણ મળી આવી હતી જેના પર 2024 માં મુઝફ્ફરાબાદ મોકલવામાં આવેલા શિપમેન્ટના લોટ નંબરો નોંધાયેલા હતા.
ADVERTISEMENT
હવે જાણીએ સૌથી મોટી વાત કે, પહેલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ કોણ ?
સુરક્ષા એજન્સીઓની તપાસમાં સૌથી મોટો ખુલાસો એ થયો કે, લશ્કરના લાહોર સ્થિત ઓપરેશનલ ચીફ સાજિદ સૈફુલ્લાહ જટ્ટ આ સમગ્ર હુમલાનો માસ્ટરમાઇન્ડ છે. બીજી તરફ રાવલકોટના રહેવાસી રિઝવાન અનીસ દ્વારા કાશ્મીરમાં માર્યા ગયેલા આતંકવાદીઓની ગેરહાજરીમાં અંતિમ સંસ્કારની નમાઝનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સ્પષ્ટ કરે છે કે હુમલા પછી પણ પાકિસ્તાનમાં આતંકવાદીઓને હીરો તરીકે મહિમા આપવામાં આવતો હતો. ફોરેન્સિક પરીક્ષણોએ એ પણ પુષ્ટિ આપી છે કે, હુમલાના સ્થળેથી મળેલા ગોળીઓના શેલ 28 જુલાઈના રોજ દાચીગામ-હરવન જંગલમાં માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી મળેલી ત્રણ AK-103 રાઈફલો સાથે મેળ ખાય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.