બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:04 PM, 14 February 2026
બાંગ્લાદેશમાં ફેબ્રુઆરી 2026માં યોજાયેલી ચૂંટણીમાં પ્રચંડ જીત પછી હવે તારિક રહેમાન દેશના આગામી વડાપ્રધાન તરીકે શપથ લેવા માટે તૈયાર છે. આ ઐતિહાસિક પ્રસંગે, BNPએ ભારત સાથેના સંબંધોમાં એક 'નવી શરૂઆત' કરવાનો સંકેત આપ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પાર્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવાની તૈયારી કરી રહી છે.
ADVERTISEMENT
આ સિવાય BNP તમામ પ્રાદેશિક રાષ્ટ્રપ્રમુખોને પણ આમંત્રણ આપી શકે છે. તારિક રહેમાનના વિદેશ બાબતોના સલાહકાર હુમાયુ કબીરે સ્પષ્ટતા કરી છે કે બંને દેશોએ તેમની જૂની ધારણાઓ બદલવાનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું, "ભારતે એ સમજવું જોઈએ કે આજના બાંગ્લાદેશમાં શેખ હસીના અને આવામી લીગનું અસ્તિત્વ નથી બચ્યું."

ADVERTISEMENT
BNPએ ભારતને અપીલ કરી છે કે શેખ હસીનાને પોતાની જમીન આશ્રય ન આપે, જેમણે બાંગ્લાદેશને અસ્થિર કરવાનો પ્રયાસ કર્યો. હુમાયુ કબીરના મતે, જો ભારત 'પડોશી પ્રથમ' નીતિ હેઠળ આદરપૂર્વક વર્તે છે, તો બંને દેશો વિકાસની નવી ઊંચાઈઓ સુધી પહોંચી શકે છે.
આ પણ વાંચો: જજો વિરૂદ્ધ પણ ફરિયાદ? એ પણ 8600થી વધુ, લોકસભામાં ખુદ સરકારે કર્યો ખુલાસો
ADVERTISEMENT
ચૂંટણી પરિણામો પછી તરત જ 13 ફેબ્રુઆરી 2026ના રોજ વડાપ્રધાન મોદીએ તારિક રહેમાન સાથે ફોન પર વાત કરી અને તેમને તેમની શાનદાર જીત બદલ અભિનંદન આપ્યા. વાતચીત અત્યંત સૌહાર્દપૂર્ણ રહી, જેમાં પીએમ મોદીએ લોકશાહી અને સમાવેશી બાંગ્લાદેશ માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો. પીએમ મોદીએ તારિક રહેમાનને તેમની સુવિધા મુજબ ભારતની મુલાકાત લેવા આમંત્રણ પણ આપ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.