બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:16 PM, 18 October 2025
અયોધ્યા, રામનગરીમાં ભવ્ય દીપોત્સવના સમારોહથી પહેલાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે શનિવારે દિવડા અને મીણબતીઑને લઈને એવું નિવેદન આપ્યું કે વિવાદ ભભૂકી ઉઠ્યો. ભાજપાએ તાત્કાલિક પ્રતિક્રિયા આપીને કહ્યું કે સમાજવાદી પાર્ટીનો રામ મંદિર આંદોલનનો વિરોધ કરવાનો અને હિંદુ વિરોધી વાતો ફેલાવવાનો ઇતિહાસ રહ્યો છે.
ADVERTISEMENT
લખનૌમાં સમાજવાદી પાર્ટીના મુખ્યાલયમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક મીડિયા કર્મચારીએ અખિલેશને પૂછ્યું કે, "અયોધ્યા દીપોત્સવમાં આ વખતે દિવડા અને મીણબતીઑ પ્રગટાવવામાં આવશે અને તેની સંખ્યા પણ ઘટી જશે, તમારું શું કહેવું છે?" અખિલેશે આ પ્રશ્ન પર કહ્યું, "હું કોઈ સૂચન આપવા માંગતો નથી, પરંતુ ભગવાન રામના નામ પર એક સૂચન આપવા માંગું છું."
#WATCH | Lucknow | SP Chief Akhilesh Yadav says, "... I dont want to give a suggestion. But I will give one suggestion on the name of Lord Ram. In the entire world, all the cities get illuminated during Christmas. And that goes on for months. We should learn from them. Why do we… pic.twitter.com/HAL47migCC
— ANI (@ANI) October 18, 2025
ADVERTISEMENT
ક્રિસમસથી શીખવાનું કહ્યું: અખિલેશ
અખિલેશે વધુમાં કહ્યું, "સમગ્ર વિશ્વમાં ક્રિસમસ દરમિયાન બધા શહેરો ઝગમગી ઉઠે છે અને આ મહિનાઓ સુધી ચાલે છે. આપણે તેમનાથી શીખવાનું છે. અમારે દિવડા અને મીણબતીઑ પર કેમ ખર્ચ કરવો ? આ સરકાર પાસેથી અમે શું આશા રાખીએ? તેને હટાવી દેવું જોઈએ. અમારી સરકાર આવશે તો અમે ખૂબ સુંદર પ્રકાશ કરીશું." આ નિવેદનથી વિરોધી દળોમાં રોષ ફૂટી નીકળ્યો.
ADVERTISEMENT
ભાજપાના રાષ્ટ્રીય પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ કડક પ્રતિક્રિયા આપી અને કહ્યું, "રામ મંદિર આંદોલનનો વિરોધ કરનાર, અયોધ્યાને વર્ષો સુધી અંધારામાં રાખનાર અને રામ ભક્તો પર ગોળીઓ ચલાવનાર પાર્ટી હવે દીપોત્સવ માટે શહેરની સજાવટનો વિરોધ કરી રહી છે. જ્યારે તેમણે સૈફઈમાં જશ્ન મનાવ્યો, જેમાં સામાન્ય લોકોને કોઈ લાભ નહોતો, ત્યારે તેમને ગર્વ થયો. પરંતુ અયોધ્યામાં, જ્યાં હજારો નાના-મોટા દુકાનદારોની રોજગારી ચાલે છે, ત્યાં કેટલાક લોકો અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે."

ADVERTISEMENT
સરયૂ તટે 26 લાખ દીયાઓથી રોશન થશે
અયોધ્યામાં આ 9મું દીપોત્સવ છે. દિવાળીથી એક દિવસ પહેલાં, 19 ઓક્ટોબરે આ આયોજન સરયૂ નદીના કાંઠે 56 ઘાટો પર 26,11,101 દિવડાઓની રોશનીથી ચરમસીમાએ પહોંચશે. દીપોત્સવ 2025માં 26 લાખ દિવડા, 2100 વૈદિક વિદ્વાનો, 1100 ડ્રોન અને 33,000 સ્વયંસેવકો એકઠા થઈને અનુષ્ઠાન અને સામૂહિક ભક્તિનું ભવ્ય દર્શન આપશે. 2017માં 1.71 લાખ દિવડાઓથી શરૂ થયેલો આ ઉત્સવ હવે પંદર ગણો વધી ગયો છે, જે તેની રેકોર્ડ તોડતી ભવ્યતા દર્શાવે છે. આ વર્ષે દીપોત્સવ રામની પૈડીથી આગળ વધીને રાજઘાટ, ગુપ્તારઘાટ અને લક્ષ્મણ કિલ્લા ઘાટ જેવા નવ-વિકસિત ઘાટો સુધી ફેલાઈ ગયો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: બિહારમાં INDIA ગઠબંધનને ઝટકો, JMMનું એકલા હાથે ચૂંટણી લડવાનું એલાન
અખિલેશના નિવેદનથી રાજકીય વાતાવરણ ગરમાયું હતું. સમાજવાદી પાર્ટીના નેતાઓએ તેને સરકારની નીતિઓ પર પ્રહાર તરીકે જોયું છે, જ્યારે ભાજપાએ તેને હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચાડવાના પ્રયાસ તરીકે ગણાવ્યો છે. દીપોત્સવને અયોધ્યાની સાંસ્કૃતિક અને આર્થિક વિકાસનું પ્રતીક માનવામાં આવે છે, જે લાખો પ્રવાસીઓને આકર્ષે છે. આ વર્ષેના આયોજનમાં ડ્રોન શો અને વૈદિક કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે અયોધ્યાને વિશ્વસ્તરીય પ્રવાસન કેન્દ્ર તરીકે સ્થાપિત કરશે. વિરોધીઓના નિવેદનો છતાં, દીપોત્સવની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, અને લોકો રામનગરીના આ પ્રકાશમય તહેવારની રાહ જોઈ રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT