બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / ઓપરેશન સિંદૂરમાં જે રાફેલથી નાપાકના છક્કા છોડાવ્યા, તે ફાઈટર જેટમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુંએ ભરી ઉડાન
Last Updated: 12:07 PM, 29 October 2025
Draupadi Murmu In Rafale : ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે અંબાલા એરફોર્સ સ્ટેશન પર પહોંચ્યા હતા. આ દરમિયાન અહીં તેમને ભારતીય વાયુસેનાના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું.
ADVERTISEMENT
ઓપરેશન સિંદૂરમાં જે રાફેલથી નાપાકના છક્કા છોડાવ્યા, તે ફાઈટર જેટમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુંએ ભરી ઉડાન#DroupadiMurmu #RafaleJet #IndianAirForce #OperationSindoor #PresidentOfIndia #RafaleFlight #IAF #WomenPower #IndiaPride #BreakingNews #VTVNews #IndianDefence #ProudMoment… pic.twitter.com/hMz0effj9G
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 29, 2025
આ પ્રસંગે રાષ્ટ્રપતિ મુર્મુએ અત્યાધુનિક રાફેલ ફાઇટર એરક્રાફ્ટમાં ઐતિહાસિક ઉડાન ભરી, જે ભારતીય વાયુસેનાના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ક્ષણ બની રહી છે. આ પહેલા રાષ્ટ્રપતિ મુર્મુએ સુખોઈ-30 MKI ફાઇટર જેટમાં પણ ઉડાન ભરી હતી. રાષ્ટ્રપતિ તરીકે ફાઇટર એરક્રાફ્ટમાં ઉડાન ભરનારા તેઓ ત્રીજા અને મહિલા રાષ્ટ્રપતિ તરીકે બીજા છે.
ADVERTISEMENT
#WATCH | Haryana: President Droupadi Murmu takes off in a Rafale aircraft from the Ambala Air Force Station pic.twitter.com/XP0gy8cYRH
— ANI (@ANI) October 29, 2025
પૂર્વ રાષ્ટ્રપતિઓનો ઉલ્લેખ
ADVERTISEMENT
આ પહેલાં ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને વિખ્યાત વૈજ્ઞાનિક ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે 8 જૂન, 2006ના રોજ સુખોઈ-30 MKI ફાઇટર એરક્રાફ્ટમાં ઉડાન ભરી હતી. ત્યારબાદ 25 નવેમ્બર, 2009ના રોજ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે પુણે નજીકના લોહેગાંવ એરફોર્સ સ્ટેશન પરથી સુખોઈ-30 MKIમાં ઐતિહાસિક ઉડાન ભરી હતી.
#WATCH | Haryana: President Droupadi Murmu to shortly take a sortie in the Rafale aircraft at the Ambala Air Force Station pic.twitter.com/Ekqv0B5urH
— ANI (@ANI) October 29, 2025
ADVERTISEMENT
રાફેલની શક્તિ અને ઓપરેશન સિંદૂર
રાફેલ જેટ ભારતીય વાયુસેનાનો સૌથી અદ્યતન ફાઇટર એરક્રાફ્ટ છે, જે અત્યાધુનિક ટેક્નોલોજી, લાંબી રેન્જ અને મલ્ટીરોલ ક્ષમતાઓ માટે જાણીતો છે. તાજેતરમાં ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે રાફેલ ફાઇટર જેટનો અસરકારક ઉપયોગ કર્યો હતો. 22 એપ્રિલે પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલા બાદ 6 થી 7 મે વચ્ચે ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાની કબ્જાવાળા જમ્મુ-કાશ્મીર વિસ્તારમાં આવેલા નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. જ્યારે પાકિસ્તાને ભારતના લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે ભારતીય સેના અને વાયુસેનાએ તાત્કાલિક જવાબી કાર્યવાહી કરતા અનેક પાકિસ્તાની ચોકીઓનો નાશ કર્યો. ચાર દિવસ ચાલેલી આ લડાઈ બાદ, પાકિસ્તાનની વિનંતિ પર ભારતે 10 મેના રોજ લશ્કરી કાર્યવાહી તાત્કાલિક રીતે સ્થગિત કરી હતી.
ADVERTISEMENT

ADVERTISEMENT
રાષ્ટ્રપતિના ઉડાનનું મહત્વ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની આ ઐતિહાસિક ઉડાન માત્ર સન્માનનો વિષય નથી પરંતુ તે દેશના સશસ્ત્ર દળો પ્રત્યેના વિશ્વાસ, સમર્પણ અને ગર્વનું પ્રતિક છે. તેમના આ ઉડાન સાથે ભારતીય વાયુસેનાના ઇતિહાસમાં એક નવો અધ્યાય લખાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.