બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 4 ગુજરાતી કલાકારોના મોતથી શોકની લહેર, વારાણસીથી પાછા ફરતાં નડ્યો ગંભીર અકસ્માત
Last Updated: 12:27 PM, 16 August 2025
Shivpuri Accident : મધ્યપ્રદેશના શિવપુરીથી એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ આજે એટલે કે શનિવારે સવારે શિવપુરીમાં એક ટ્રક અને ટ્રાવેલર બસ વચ્ચે અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં ઓરકેસ્ટ્રા ગ્રુપના એક સિંગર સહિત 4 લોકોના મોત થયા હતા. આ સાથે 7 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા તેમણે ત્વરિત સારવાર હેઠળ ખસેડાયા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આ અકસ્માત નેશનલ હાઈવે- 46 પર સવારે 5.30 વાગ્યે થયો હતો.
ADVERTISEMENT
STORY | Four killed, 11 injured as mini bus collides with small truck in MP's Shivpuri
— Press Trust of India (@PTI_News) August 16, 2025
READ: https://t.co/MnO1nmQh1k pic.twitter.com/OIUBFptgY4
શિવ કથા કાર્યક્રમ બાદ પરત ફરતા ઓરકેસ્ટ્રા ગ્રુપની વાહન દુર્ઘટના
ADVERTISEMENT
શુક્રવારે સાંજે કાશી વિશ્વનાથ ખાતે આયોજિત એક શિવ કથા કાર્યક્રમમાં પર્ફોર્મન્સ આપ્યા બાદ ગુજરાત તરફ પરત ફરી રહેલા ઓરકેસ્ટ્રા ગ્રુપના સભ્યોની ટ્રાવેલર આજે સવારે અકસ્માતનો ભોગ બની. વિગતો મુજબ અકસ્માતમાં 4 લોકોનાં કરુણ મૃત્યુ નિપજ્યાં છે જયારે અન્ય 11 સભ્યોને ઇજાઓ પહોંચી છે, જેમાંથી 7ની હાલત ગંભીર છે. વિગતો મુજબ ઓરકેસ્ટ્રા ગ્રુપના તમામ સભ્યો ગુજરાતના મહેસાણા અને સુરેન્દ્રનગરના રહેવાસી છે.

ADVERTISEMENT
મીડિયા અહેવાલો અનુસાર ઓરકેસ્ટ્રા ગ્રુપના 20 સભ્યો ટ્રાવેલર મારફતે પરત ફરી રહ્યા હતા. શનિવારે સવારે આશરે 5:30 વાગ્યે ટ્રાવેલર સુરવાયા નજીક બેકાબૂ થઇ જતાં ડિવાઇડર પર ચઢી ગઈ અને સામેથી આવતા ટ્રક સાથે ભિયંકર અથડામણ થઇ
આ લોકોના થયા મોત
ADVERTISEMENT
આ લોકો થયા ઇજાગ્રસ્ત
ADVERTISEMENT
આ તરફ દર્દનાક દુર્ઘટનામાં ઘાયલોમાંથી 7 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવામાં આવ્યું છે, અને તમામને તાત્કાલિક જિલ્લાના હોસ્પિટલ તથા મેડિકલ કોલેજ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ADVERTISEMENT
શું કહ્યું ઇજાગ્રસ્તે ?
સમગ્ર મામલે ઘટનાસ્થળે હાજર વિપુલ નામના ગાયકના જણાવ્યા પ્રમાણે, અમે બધા પર્ફોર્મન્સ બાદ અમારા ઘરો તરફ જઈ રહ્યા હતા. લગભગ 5:30 વાગ્યે, જ્યારે બધાને ઊંઘ આવી રહી હતી, ત્યારે અચાનક અકસ્માત થયો. એ સમયે શું બન્યું તે કોઈને ખબર નથી. મહત્વનું છે કે, સુરવાયા પોલીસ ઘટના સ્થળે તરત પહોંચી ગઈ હતી અને બચાવ કાર્ય હાથ ધર્યું હતું. ઘટનાની વધુ તપાસ ચાલુ છે અને પ્રાથમિક દૃષ્ટિએ ટ્રાવેલરના ડ્રાઈવરનો કાબૂ ગુમાવવો દુર્ઘટનાનું કારણ માનવામાં આવી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.