બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 'મેં 80 લાશો દફનાવી, કેટલીક પર યૌન શૌષણના નિશાન', ધર્મસ્થળ કેસમાં મોટો ટ્વિસ્ટ, ફરિયાદી જ ઝડપાયો
Last Updated: 12:20 PM, 23 August 2025
કર્ણાટકના ધર્મસ્થળમાં સેંકડો મૃતદેહો દફનાવવામાં આવ્યા હોવાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. પોલીસે આ મુદ્દો ઉઠાવનાર સફાઈ કામદારની ધરપકડ કરી છે. ધર્મસ્થળ મંદિરની સફાઈ કરનાર એક વ્યક્તિએ દાવો કર્યો હતો કે તેણે અલગ-અલગ સ્થળોએ 70 થી 80 મૃતદેહો દફનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે ધર્મસ્થળના મંદિરમાં કામ કરતાં પૂર્વ સફાઈકર્મીએ સામૂહિક દફનવિધિના ખોટા દાવા કરીને સનસની પેદા કરી હતી જે પછી તપાસ થતાં તેના દાવાઓ ખોટો નીકળ્યાં.
ADVERTISEMENT
પોલીસને દેખાડેલી ખોપડી નકલી નીકળી
પોલીસનો દાવો છે કે શરૂઆતમાં સફાઈ કામદાર દ્વારા બતાવવામાં આવેલી ખોપરી નકલી હતી. SIT અને તેના વડા પ્રણવ મોહંતીએ શુક્રવારે મોડી રાત સુધી ફરિયાદીની પૂછપરછ કરી. ફરિયાદીનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, પૂરા પાડવામાં આવેલા નિવેદનો અને દસ્તાવેજોમાં વિસંગતતાઓ જોવા મળ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે SIT કેસની તપાસ ચાલુ રાખી રહી છે અને ફરિયાદી-સાક્ષીને કલાકોની પૂછપરછ પછી તબીબી તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
સફાઈ કામદારનો દાવો શું હતો?
ધર્મસ્થળ મંદિરમાં કામ કરતાં એક સફાઈકર્મીએ દાવો કર્યો હતો કે તેણે 1995 થી 2014 દરમિયાન મંદિરમાં કામ કર્યું હતું, અને તેમને મંદિરમાં મહિલાઓ અને સગીરો સહિત અનેક લોકોના મૃતદેહોને દફનાવવાની ફરજ પાડવામાં આવી હતી. ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે કેટલાક મૃતદેહો પર જાતીય હુમલાના નિશાન જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
સામૂહિક દફનવિધિનો દાવો ખોટો નીકળ્યો
તપાસના ભાગ રૂપે, SITએ ફરીયાદીના કહેવા પ્રમાણે નેત્રાવતી નદીના કિનારે ખોદકામ કર્યું હતું જેમાં અત્યાર સુધીમાં બે સ્થળોએ કેટલાક હાડપિંજરના અવશેષો મળી આવ્યા છે.
ADVERTISEMENT
શું બોલ્યા ગૃહમંત્રી
ADVERTISEMENT
કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વરે વિધાનસભામાં કહ્યું હતું કે જો SIT ફરિયાદીના આરોપો ખોટા હોવાનું જણાશે, તો કાયદા હેઠળ તેમની સામે કાર્યવાહી કરી શકાય છે. અત્યાર સુધી ફક્ત ખોદકામ જ કરવામાં આવ્યું છે, તપાસ "હજી સુધી શરૂ પણ થઈ નથી" અને કેસની તપાસ કરી રહેલી SIT, સરકાર નહીં, વધુ ખોદકામની જરૂરિયાત અંગે નિર્ણય લેશે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.