બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિશ્વ / 'જે પણ જવાબદાર હશે, તેમને...', ભૂટાનથી દિલ્હી બ્લાસ્ટ પર PMનું મોટું નિવેદન

પ્રતિક્રિયા / 'જે પણ જવાબદાર હશે, તેમને...', ભૂટાનથી દિલ્હી બ્લાસ્ટ પર PMનું મોટું નિવેદન

Priykant Shrimali

Last Updated: 12:29 PM, 11 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Delhi Blast : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે હાલમાં ભૂટાનની મુલાકાતે છે, તેમણે આ ઘટનાને લઈને પ્રતિક્રિયા આપી છે. તેઓએ જણાવ્યું કે, આ હુમલાના કાવતરાખોરોને બક્ષવામાં આવશે નહીં.

Delhi Blast : દિલ્હીમાં થયેલા ભયાનક કાર બ્લાસ્ટથી આખો દેશ હચમચી ગયો છે. આ વિસ્ફોટે માત્ર રાજધાની જ નહીં, પરંતુ સમગ્ર રાષ્ટ્રને દુઃખ અને આક્રોશમાં ડૂબાવી દીધું છે. ઘટનામાં નવ લોકોના મોત થયા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. પ્રાથમિક તપાસ મુજબ આ હુમલો આત્મઘાતી હુમલો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ તરફ ભૂટાનની મુલાકાતે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોટું નિવેદન આપ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે હાલમાં ભૂટાનની મુલાકાતે છે, તેમણે આ ઘટનાને લઈને પ્રતિક્રિયા આપી છે. તેઓએ જણાવ્યું કે, આ હુમલાના કાવતરાખોરોને બક્ષવામાં આવશે નહીં. જવાબદાર દરેક વ્યક્તિને ન્યાયના કઠેરામાં લાવવામાં આવશે. તેમણે પોતાના ભાષણની શરૂઆત ભારે હૃદય સાથે કરતા કહ્યું કે, ગઈકાલે સાંજે દિલ્હીમાં બનેલી ભયાનક ઘટનાએ દરેક ભારતીયને દુઃખી બનાવ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, હું અસરગ્રસ્ત પરિવારોના દુઃખમાં ભાગીદાર છું. આખો રાષ્ટ્ર તેમની સાથે ઉભો છે.

તપાસની દિશામાં નવા તાર

મળતી માહિતી મુજબ લાલ કિલ્લા પાસે સાંજે 6:52 વાગ્યે આ વિસ્ફોટ થયો હતો. તપાસમાં પોલીસને આશંકા છે કે આ હુમલો ફરીદાબાદના આતંકવાદી મોડ્યુલ સાથે જોડાયેલો છે. સૂત્રો મુજબ, હુમલો કરનાર શખ્સ ડૉ. ઉમર મોહમ્મદ હતો, જેણે કારમાં બેસીને આત્મઘાતી વિસ્ફોટ કર્યો હતો. સીસીટીવી ફૂટેજમાં તેના શરીરનો કપાયેલો હાથ મળ્યો છે, જે પરથી તપાસ એજન્સીઓએ ડીએનએ સેમ્પલ એકત્ર કર્યા છે. ડીએનએ ટેસ્ટિંગ બાદ જ પુષ્ટિ થશે કે તે જ આતંકવાદી હતો કે નહીં.

પોલીસ અને તપાસ એજન્સીઓએ પહેલેથી જ ત્રણ ડૉક્ટરોની ધરપકડ કરી છે, જેઓ ફરીદાબાદ આતંકવાદી મોડ્યુલ સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે. માનવામાં આવે છે કે ઉમર મોહમ્મદ પણ એ જ નેટવર્કનો ભાગ હતો. તપાસ એજન્સીઓ હવે શોધી રહી છે કે શું ચારેય આતંકવાદીઓ વચ્ચે કોઈ મોટી યોજના ચાલી રહી હતી? શું ઉમરે પોતાના સાથીઓની ધરપકડ પછી ગભરાટમાં આવીને આ આત્મઘાતી હુમલો કર્યો?

આ પણ વાંચો : 30 નવેમ્બર સુધીમાં સરકારી કર્મચારીઓએ કરવું પડશે આ કામ, નહીંતર નહીં મળે આટલું પેન્શન!

દેશભરમાં ચિંતા અને ચેતવણી

આ હુમલા પછી દિલ્હીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ અને એનએસજી કમાન્ડોની તૈનાતી કરવામાં આવી છે. ગુપ્તચર એજન્સીઓ પણ અન્ય શહેરોમાં સંભવિત કડીઓ શોધી રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું છે કે, આપણી એજન્સીઓ આ કાવતરાના તળિયે પહોંચશે અને કોઈ દોષિતને છોડવામાં નહીં આવે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Prime Minister Modi Delhi blast Delhi car blast
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ