બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ભારત / 30 નવેમ્બર સુધીમાં સરકારી કર્મચારીઓએ કરવું પડશે આ કામ, નહીંતર નહીં મળે આટલું પેન્શન!
Last Updated: 12:09 PM, 11 November 2025
New Pension Rules : કેન્દ્ર સરકારે તાજેતરમાં સરકારી કર્મચારીઓ માટેના પેન્શન નિયમોમાં મહત્વપૂર્ણ સુધારા કર્યા છે. આ સુધારા મુજબ, હવે મૃતક સરકારી કર્મચારીના માતાપિતા જો ફેમિલી પેન્શન મેળવી રહ્યા હોય, તો તેમને દર વર્ષે જીવન પ્રમાણપત્ર (Life Certificate) સબમિટ કરવું ફરજિયાત રહેશે. પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગ (Department of Pension & Pensioners’ Welfare) દ્વારા આ અંગે સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેથી ખાતરી કરી શકાય કે પેન્શન યોગ્ય વ્યક્તિને અને યોગ્ય દરે મળે.
ADVERTISEMENT
પહેલા શું થતું હતું?
અગાઉ માતાપિતાને વધેલા દરે (75%) ફેમિલી પેન્શન મળતી હતી અને તેમને જીવન પ્રમાણપત્ર આપવા આવશ્યકતા ન હતી. સરકાર તરફથી ઘણી વખત માતાપિતાની સ્થિતિ અંગે ચકાસણી થતી નહોતી, જેના કારણે કોઈ એક માતા કે પિતા અવસાન પામ્યા પછી પણ 75% દરે પેન્શન ચાલુ રહેતું હતું. પરંતુ નિયમો મુજબ જો બંને માતાપિતા જીવિત હોય તો 75%, અને જો એક માતા કે પિતા જીવિત હોય તો 60% પેન્શન મળવું જોઈએ. આ વિસંગતતાને દૂર કરવા માટે હવે નવી પ્રક્રિયા અમલમાં આવી છે.
ADVERTISEMENT
નવા નિયમો શું કહે છે?
CCS (EOP) નિયમો, 2023 ના નિયમ 12, પેટા-નિયમ (5) મુજબ
ADVERTISEMENT
હવે દર વર્ષે નવેમ્બર મહિનામાં બંને માતાપિતાએ અલગ-અલગ જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું પડશે. જો કોઈ એક માતા કે પિતાનું અવસાન થાય, તો આગામી વર્ષથી ફક્ત એક પ્રમાણપત્ર જરૂરી રહેશે અને પેન્શન આપમેળે 60% પર સેટ થશે.
ADVERTISEMENT
30 નવેમ્બર છે અંતિમ તારીખ
ADVERTISEMENT

કેવી રીતે આપવું જીવન પ્રમાણપત્ર?
ADVERTISEMENT
જીવન પ્રમાણપત્ર આપવાની પ્રક્રિયા હવે ખૂબ જ સરળ છે:
આ બદલાવથી શું ફાયદો થશે?
આ પણ વાંચો : હવેથી એક જ Appમાં રાખી શકશો 5-5 આધારકાર્ડ, એ પણ બિલકુલ ફ્રીમાં
જો તમારા પરિવારના કોઈ સભ્યને ફેમિલી પેન્શન મળી રહી હોય, તો હમણાં જ ખાતરી કરો કે બંને માતાપિતાના જીવન પ્રમાણપત્રો તૈયાર છે. 75% પેન્શન ચાલુ રાખવા માટે આ પ્રક્રિયા આ વર્ષે 30 નવેમ્બર સુધીમાં પૂર્ણ કરવી જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.