બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સાયબર ફ્રોડનો ભોગ બનનારને મળશે 25000 રૂપિયાનું વળતર, RBIનો મોટો નિર્ણય

જાણી લેજો / સાયબર ફ્રોડનો ભોગ બનનારને મળશે 25000 રૂપિયાનું વળતર, RBIનો મોટો નિર્ણય

Priykant Shrimali

Last Updated: 01:48 PM, 26 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cyber Fraud : સાયબર ફ્રોડના ભોગ બનનાર માટે મોટી રાહત? ડિજિટલ છેતરપિંડી સામે વળતર વ્યવસ્થા અંગે મહત્વની જાહેરાત

Cyber Fraud : ડિજિટલ ટ્રાન્ઝેક્શનના વધતા ઉપયોગ સાથે ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. ઘણી વખત ગ્રાહકોને ખબર પડ્યા વિના તેમના ખાતામાંથી રૂપિયા કપાઈ જતા હોય છે અને પૈસા પાછા મેળવવાની પ્રક્રિયા લાંબી અને મુશ્કેલ બની રહે છે. આવી પરિસ્થિતિમાં હવે ડિજિટલ સુરક્ષા અને ગ્રાહક હિતને ધ્યાનમાં રાખીને નવી વળતર વ્યવસ્થા અંગે મહત્વની જાહેરાત સામે આવી છે.

RBIનો મોટો નિર્ણય

નવી જોગવાઈ મુજબ નિર્ધારિત પરિસ્થિતિઓમાં ઓનલાઈન ફ્રોડ અથવા અનધિકૃત ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો ભોગ બનેલા ગ્રાહકોને નાણાકીય રાહત મળી શકે છે. આ નિયમ નિર્ધારિત સમયગાળા બાદ લાગુ થનારા ઇલેક્ટ્રોનિક બેન્કિંગ વ્યવહારો માટે લાગુ થવાનો છે અને તેમાં UPI, મોબાઇલ બેન્કિંગ, નેટ બેન્કિંગ તેમજ ડેબિટ-ક્રેડિટ કાર્ડ આધારિત ડિજિટલ પેમેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ વ્યવસ્થાનો મુખ્ય આધાર જવાબદારી નક્કી કરવાના સિદ્ધાંત પર રાખવામાં આવ્યો છે. જો છેતરપિંડી બેન્કની સુરક્ષા ખામી, સિસ્ટમની ભૂલ અથવા જરૂરી એલર્ટ ન મળવાને કારણે થઈ હોય તો ગ્રાહકને સંપૂર્ણ રિફંડ મળવાની જોગવાઈ કરવામાં આવી છે. જો કોઈ થર્ડ પાર્ટી પ્લેટફોર્મ, પેમેન્ટ ગેટવે અથવા અન્ય સેવાકીય ખામીના કારણે નુકસાન થયું હોય તો પણ ગ્રાહકને રાહત મળી શકે છે. પરંતુ તે માટે સમયસર ફરિયાદ નોંધાવવી મહત્વપૂર્ણ રહેશે. નક્કી કરાયેલા સમયની અંદર બેન્ક અથવા સંબંધિત સત્તાવાર પ્લેટફોર્મ પર જાણ કરવી જરૂરી રહેશે.

આ પણ વાંચો : નવા સીમાંકન બાદ લોકસભાની બેઠકો વધીને 40, વિધાનસભાની બેઠકો 273 થઈ શકે છે, 10 મતવિસ્તારોનું વિભાજન થઈ શકે

આ નિયમનો એક મહત્વપૂર્ણ પાસો એ પણ છે કે, કેટલીક પરિસ્થિતિમાં ગ્રાહકની બેદરકારી હોવા છતાં મર્યાદિત વળતર મળવાની શક્યતા રાખવામાં આવી છે. ખાસ કરીને જ્યાં ગ્રાહકે સમયસર જાણ કરી હોય અને નુકસાન નિયંત્રિત કરવા સહકાર આપ્યો હોય ત્યાં રાહતનો માર્ગ ખુલ્લો રાખવામાં આવ્યો છે. વળતર માટે પણ નિશ્ચિત મર્યાદા નક્કી કરવામાં આવી છે. ગ્રાહકને થયેલા નુકસાનના નક્કી પ્રમાણ અથવા નિર્ધારિત મહત્તમ મર્યાદા સુધીની સહાય આપવામાં આવશે. સાથે જ વળતર પ્રક્રિયામાં સંબંધિત સંસ્થાઓ વચ્ચે જવાબદારીનું વિતરણ પણ કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Online Scam Cyber Fraud RBI Rules
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ